SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ શ્રી પરમાત્મ તિ: तस्यैव परमैश्वर्य, चरण ज्ञान वैभवम् । ज्ञातुं वक्तुमहं मन्ये, योगिनामप्यगोचरम् ॥१॥ તે સર્વજ્ઞ ભગવાનનું પરમેશ્વર્ય, ચારિત્રજ્ઞાનને વૈભવ છે તે જાણવાનું અને કહેવાને આચાર્ય પતે કહે છે કે હું એમ માનું છું કે કોઈ પણ સમર્થ નથી. ગિને પણ અગોચર છે. આ પ્રમાણે “ પતિ વિશેષણનું અથથી ઇતિ સુધી સામાન્યતઃ વિવેચન કર્યું. જિનેશ્વર ત્રદશમ ગુણસ્થાનકમાં ઘાતી કર્મના અભાવથી અહન પરમેષ્ટી કહેવાય છે. પરમેષ્ઠી થયા બાદ આયુષ્યની મર્યાદા પ્રમાણે પૃથ્વી તલમાં જિન વિહાર કરે છે. અને ભવ્ય જીને ઉપદેશ આપે છે. ચાર ઘાતી કર્મને નાશ થતાં પણ અઘાતી કર્મ ચાર શેષ રહે છે. “તદાહ’ मोहेन सहदुर्द्धषे हते घाति चतुष्टये, देवस्यव्यक्तिरूपेण शेषमास्ते चतुष्टयम् ॥ १ ॥ ભાવાર્થ...કેવલી ભગવાને જ્યારે મેહનીયકર્મની સાથે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મને નાશ થાય છે. અર્થાત્ દુર્ણ ચારઘાતિ કર્મને નાશ થાય છે ત્યારે બાકીનાં ચાર અઘાતિ કર્મ રહે છે. બાકીનાં ચાર કર્મ પણ અંતે ખપાવીને ચતુર્દશમું ગુણસ્થાનક ઓળંગીને એક સમયમાં સિદ્ધસ્થાનમાં વિરાજે છે. શરીરના ભાગ જેટલા આકાશ પ્રદેશને અવગાહીને સિદ્ધ પરમાત્માના અસંખ્ય પ્રદેશ રહે છે તેથી સિદ્ધ ભગવાનની અવગાહના અરૂપી કહેવાય છે. શરીરમાંથી છૂટીને આકાશ પ્રદેશની સમણિએ એક સમયમાં સિદ્ધસ્થાનમાં પરમાત્મા પહોંચે છે. ત્યાં સિદ્ધ કહેવાય છે. “તદાહ” For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy