SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ જ્યોતિ: જડાવસ્થા સંભવે છે તેવી મુક્તિમાં કેવલજ્ઞાન કંઈ પણ સંભવતું નથી. વળી કેટલાક તે મતિજ્ઞાનના એક ભેદને વેદાંતમાં કેવલજ્ઞાન તરીકે સ્વીકારે છે તે પણ યથાયોગ્ય વાત સંભવતી નથી. વળી કેટલાક તે આત્મા અને જડને ઉપગ ભૂલી જ એવી મુક્તિ વેદાંતમાં કેટલાક સ્વીકારે છે આવી મુક્તિમાં સર્વરૂપણું સંભવતું નથી. કેટલાક જીવનમુક્ત દશામાં સર્વ જાણવાપણું સ્વીકારે છે પણ પશ્ચાત્ મુક્તદશામાં સર્વજ્ઞપણું સ્વીકારતા નથી. વેદાંતના મુક્તદશાના વિચારોના ભિન્ન ભિન્ન મત દર્શાવતાં ગ્રંથને વિસ્તાર થઈ જાય માટે આ ઠેકાણે પાડે આપ્યા નથી. જેનાગમાં તે શ્વેતાંબર અને દિગંબર ધર્મ પુરત કેના આધારે તેરમા ગુણસ્થાનકની જીવન્મુક્ત દશામાં અને સિદ્ધાવસ્થામાં સર્વ પદાર્થોને આત્મા જાણી શકે છે. સર્વજ્ઞપણું પ્રગટયા બાદ નષ્ટ થતું નથી. તવાઈ. સૂત્ર કે જે શ્વેતાંબર અને દિગ બર એમ બેને માન્ય છે અને જે સત્ય પૂજ્ય ગ્રંથ છે તેમાં પણ આ પ્રમાણે વ્યાખ્યા કરી છે તે દર્શાવવામાં આવે છે. 1 તરવાર્થસૂત્ર પર सर्व द्रव्यपर्यायेषु केवलस्य ॥ सर्व द्रव्येषु सर्व पर्यायेषुच केवलज्ञानस्य विषय निबंधो भपति तद्वि सर्वभाव ग्राहकं संभिन्न लोकालोक विषयं नातः परं ज्ञानमस्ति न च केवलज्ञान विषयात् परं किंचिदन्यज्ञेयमास्ति केवलं परिपूर्ण समग्रं असाधारणं निरपेक्ष विशुदं सर्वभावज्ञायकं लोका. लोक विषयं अनन्त पर्यायमित्यर्थः ॥ ભાવાર્થ–સર્વ દ્રવ્યમાં અને સર્વ દ્રવ્યના સર્વ પર્યાને વિષે કેવલજ્ઞાનને વિષય છે. સર્વ પદાર્થને કેવલજ્ઞાન ગ્રહણ કરે છે. કાલકના ગુણપર્યાયને કેવલજ્ઞાન સાક્ષાત દેખે છે—જાણે છે. For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy