________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
જાવું ત્યાં તે કઈ ન જાવે, કરવું તે ન કરાય; જાણવું તે તે રહીયું બાકી, રાતને દીન ગણાય; મેહ દારૂ પીધેરે, ભાન તો ભૂલાય છે. નેવાનું. ૧ રાજાને તે રંક ગણીને, કરી નહીં સારવાર; રંકને રાજા માની બેઠે, ધિક પડો અવતાર; અન્તર ધન ખોયું રે, માટે એ અન્યાય છે. નેવાનું. ૨ લેહ ચણાનું ભક્ષણ કરવું, જેવું એ મુકેલ; તેવું આત્મસ્વરૂપે થાવું, નથી બાળકને ખેલ; કેઈક જીવ સમજેરે, બુદ્ધિસાગર ગાય છે. નેવાનું છે કે
મહેસાણા.
પદ.
આપ સ્વભાવમાંરે, અબધુ સદા મગનમેં રહેનાએ રાગ. આતમ ધ્યાનથી રે, સો સદા સ્વરૂપે રહેવું, કર્માધીન છે સૈ સંસારી, કોઈને કાંઈ ન કહેવું. આતમ ૧ કઇ જ નાચે કોઈ જન રૂવે, કોઈ જન યુદ્ધ કરંતા; કઈ જન જન્મે કોઈજન ખેલે, દેશાટન કઇ ફરતા. આ૦ ૨ ળિ મીલી તેલની આશા, મૂરખ જન મન રાખે; બાવળીયે વાવીને આંબા, કેરી રસ શું ચાખે. આતમ રૂ વેરી ઉપર વેર ન કીજે, રાગીથી નહિ રાગ શમભાવે સૌ જનને નીરખે, તો શિવ સુખને લાગ. આ છે જુઠી જગની પુદગલ બાજી, ત્યાં શું રહીએ રાજી; તન ધન થવન સાથ ન આવે, આવે ને માતપિતા. આ. ૫ લક્ષમી સત્તાથી શું થાવે, મનમાં જે વિચારી
For Private And Personal Use Only