SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એને પિતાની અસરમાં લીધા છે, ઉપનિષદ અને પુરાણે ઉપર પણ જૈન ધર્મની અસર થઈ છે. બ્રાહ્મણ ધર્મનું રક્ષણ કરનારા દક્ષ કલાવિદ બ્રાહ્મણેએ જે કાલે જેની ન્યૂનતા જણાઈ અને જેનાશિ ધર્મની જે શ્રેષ્ઠતા જણાઈ તેને પિતાની કરી શાસ્ત્રોમાં રચી ભેળવી દીધી તેથી બ્રાહ્મણે એ પિતાની મહત્તા જાળવી, બ્રાહ્મણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવના જ્ઞાતા હતા તેથી અન્યના ધર્મતત્વોની માન્યતાઓ પિતાની કરી દઈને પિતાના પ્રભુના નામે ચઢાવી પિતાના હિંદુ ધર્મની મહત્તા જાળવી. કારણ કે તેઓ પિતાનું ગુરૂ પદ જાળવવાની બુદ્ધિરૂપ ગળથુથીના અનુભવી છે. હિંદુધર્મ તરીકે દુનિયામાં ત્રણ ધર્મ પ્રસિદ્ધ છે. જૈનહિંદુધર્મ, વેદ પીરાણિક હિંદુ ધર્મ અને બીધ્ધ હિંદુ ધર્મ. આ ત્રણ ધર્મો હિંદમાં આર્ય દેશમાં પ્રગટેલા છે માટે એ ત્રણને હિંદુધર્મ–આર્યધર્મ કહેવામાં આવે છે. મહાભારત ગ્રંથમાં જૈનધર્મની માન્યતા આવે છે. તેથી મહાભારતના કાલમાં વૈદિક ધર્મ એટલે જૈનધર્મ પણ પ્રાચીન ગણાતું હતું. ભાગવત પુરાણમાં ઋષભદેવનું ચરિત્ર આવે છે. જેને ઋષભદેવને પ્રથમ તીર્થંકર આદિનાથ માને છે, બ્રહ્મા માને છે. વેણુ વીશ અવતાર માને છે તેમાં રાષભદેવને ઇશ્વરાવતાર માનેલે હેવાથી જૈનધર્મ ઘણે પ્રાચીન સિદ્ધ થાય છે. વેદધર્મ જેમ વેદશાઓથી જ પ્રાચીન સિદ્ધ થાય છે તેમ જૈનધર્મ પણ જેનશાએથી પ્રાચીન સિદ્ધ થાય છે. ઉપનિષદેની કેટલીક એવી કૃતિ છે કે જે જૈન ધર્મના સિદ્ધાંતને સિદ્ધ કરે છે. કાશીના મહાપંડિત મહેપાધ્યાય રામ મિશ્રજીએ જૈનધર્મ સંબંધી લખતાં જણાવ્યું છે કે વેદધર્મ એટલે જૈનધર્મ પ્રાચીન છે. અમે જૈને જૈનશાના આધારે એમ માનીએ છીએ કે આ અવસર્પિણુ આરામાં શ્રી ત્રિષભ દેવ ભગવાને જૈનધર્મની સ્થાપના કરી પશ્ચાત્ તેમના પુત્ર ભરતે આર્ય વેદને પ્રકાશ કર્યો. પશ્ચાત્ તે વેદમાં બ્રાહ્મણેએ પ્રક્ષેપ ભાગ વધાર્યો, પ્રભુમહાવીર દેવ જમ્યા તે વખતે જદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચારવેદ For Private And Personal Use Only
SR No.008619
Book TitleLala Lajpatray Ane Jain Dharma
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1924
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy