________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામ) સર્વ કામ થાવાળાઓને પ્રેમ વાત્સલ્ય જમણ આપી આશરે રૂ.૧૦૦૦૦ ખર્ચા હતા. આવાં સુકૃત્ય કરનાર પિતાના પુત્રને પણ તે પિતાના સંસ્કારો પડયા હતા. તેમજ વિચારે પણ પિતાના જેવાજ બહોળા અને ધર્મિષ્ઠ હતા. તેમણે સદગુરૂ પાસે ધર્મનું જ્ઞાન બાલ્યાવસ્થાથી જમેળવ્યું હતું. કુટુંબના સંસ્કાએ આ જ્ઞાનને વધારે પ્રકાશ આપે, અને દેવ ધર્મ તથા ગુરૂ પર વધારે દઢ પ્રીતિવંત થયા. તેઓ પ્રસંગોપાત્ત ગુરૂ શ્રીમદ્ રવિસાગરજી મહારાજને સમાગમ થતાં આ સંસારની અસારતા-લક્ષ્મીની ચપળતા વિગેરેની અનિત્ય ભાવના ભાવતા અને ઉદય આવેલાં કમ ભોગવવા સંસારમાં રહેવા ફરજ પડી છે, એમ માની નિર્લેપવૃત્તિથી સંસાર ધુરા વહેતા હતા.
તેમને ત્યાં તેમના જેષ્ટ પુત્ર અમથાલાલને જન્મ થતાં જ કુટુંબમાં આનંદ પ્રસર્યો હતે. આ શુભ પગલાંના સુપુત્રના જન્મથી શેઠ નગીનદાસને ધર્મપર વિશેષ રૂચિ થઈ હતી, અને છરેરી પાળતે સંઘ, પિતાની માફક કાઢવા તેમણે નિશ્ચય કર્યો અને શ્રાવક, શ્રાવિકા, સાધુ સાધ્વીના સમુદાય સાથે સંઘ, શ્રી કેશરીઆઅને કાર્યો હતો, તથા આઠવર્ષની વયના શ્રી અમથાલાલને કેશરતુલા તેમના ભારોભાર કેશરતોલી શ્રી કેશરીઆઇને (દાદાને) કેશર ચઢાવ્યું હતું. જેમાં તેઓને આશરે રૂ ૧૨૦૦૦ ) ખર્ચ થયા હતા. મહેસાણામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના મેટા દેહરાસરમાં એક દેરી નકરે ભરી લીધી હતી અને તેમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા સં. ૧૫૦ માં કરી હતી. તે વખતે રથયાત્રાને વડે ધામધૂમથી કાઢી તથા નવકારશી કરી ધર્મ પ્રભાવના કરી હતી.
એકંદર ધર્મ કાર્યોમાં મહેમ અગ્રભાગ લેતા હતા. ઉત્સાહ અને ઉમંગથી ધર્મકાર્ય કરતાં વ્યાપારાદિમાં વિપુલ સંપત્તિ અને ઉજવલ કીતિ તેઓ પામ્યા હતા. મુંબઈમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી, અને મુંબાઇના કેટના જૈન દેરાસરના મેનેજર તરીકે
For Private And Personal Use Only