________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેલ્લાં ચોમાસાં, મહાઆરાધના અને નિર્વાણ.
સાધ્વીજી શ્રી પ્રજ્ઞાથીજીનાં ગુણીજી સ્વર્ગવાસ પામ્યાં ત્યારપછી તેઓશ્રી ક્રિયાપાત્ર સાધ્વીજીશ્રી લાભશ્રીજી મહારાજની પાસે જ રહ્યાં હતાં. તે છેવટે સ્વર્ગવાસ પામ્યાં ત્યાં સુધી સાથે જ રહ્યાં. શ્રી પ્રજ્ઞાશ્રીજી અને શ્રી લાભશ્રીજી મહારાજ વચ્ચે સગી બહેનો કરતાંયે અધિક સનેહ હ. જેવું પ્રજ્ઞાશ્રીજી એવું રૂડું નામ હતું તેવા જ તેમાં રૂડા ગુણ હતા. સ્વભાવે ભદ્રિક પરિ. પ્રણામી હતાં. એમના અંતઃકરણમાં ફૂડ, કપટ, માયા, મૃષાવાદ, આશા અને તૃષ્ણારૂપી કલિયુગે વાસ કર્યો જ ન હતા. એમના પરિચયમાં આવેલાં માનવે સમજે છે કે શ્રી પ્રજ્ઞાશ્રીજી તે આવા પાંચમા આરામાં ચે ચોથા આરાના માનવી હતાં. એમની શી વાત? સાધ્વીજી શ્રી લાભશ્રીજી, શ્રી વિમલશ્રીજી, શ્રી ચારિત્રશ્રીજી, શ્રી સુશીલાશ્રીજી, શ્રી હિંમતશ્રીજી, શ્રી લાવણ્યશ્રીજી વગેરે સાધ્વીસમાજે ઘણું જ ભક્તિભાવપૂર્વક શ્રી પ્રજ્ઞાશ્રીજી મહારાજની સેવા ચાકરી કરી હતી અને એમના આત્માને
www.kobatirth.org
For Private And Personal Use Only