________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજ વિદ્યમાન છે. આ સર્વીજી મહારાજ તપસ્યાના ઘેરા રંગથી રંગાયેલા છે. પોતે ધર્મકાર્યમાં બીલકુલ પ્રમાદ રાખતા નથી તેમજ અનેક ભાગ્યશાળી બહેનને ધર્મકાર્યમાં જોડે છે, તપસ્યા કરાવે છે અને એ રીતે એમનાં જીવનને ધન્ય બનાવે છે !!!
જૈન ધર્મમાં સાધુ અને સાધ્વીઓનાં જીવનચરિત્ર લખવાનો રિવાજ પ્રાચીન કાળથી ચાલ્યા આવે છે. આમાં સાધ્વીજી મહારાજેનાં જીવનચરિત્ર કથાનક રૂપે લેખાતાં હતાં. જેન સમાજમાં સાધુપદને અગ્રસ્થાન આપેલું છે. સો વરસની દીક્ષિત સાધ્વીજીએ એક દિવસના અને નાની વયના સાધુને વંદના કરવી જ જોઈએ. આવો અનાદિ આચાર છે. આ કારણથી સાથ્વી કરતાં સાધુઓનાં જીવનચરિત્રે કે જીવનના ભાગે ઘણું વધારે પ્રમાણમાં લખાયેલાં છે. તેમ છતાં સાધ્વીજનાં જીવનપ્રસંગે ન લખાતાં એમ તે નથી જ. જે કઈ પ્રભાવક સાધુ હોય કે સાધ્વી હેય, તેમનાં જીવન ચરિત્રો કે જીવનના અમુક આકર્ષક પ્રસંગે તે લખતા જ આવ્યા છે.
પ્રવતની શ્રી લાભશ્રીજી મહારાજના પુણ્ય સ્વર્ગવાસ પછી પ્રવર્તનજી તરીકે સાધ્વીજી શ્રી દેલતશ્રીજી ધર્મ અવતાવવાનું સઘળું કામકાજ કરતા હતા. શ્રી દોલતશ્રીજી મહારાજ ગૃહસ્થાશ્રમમાં મેવાડમાં આવેલા આમેટ ગામની પાસેનાં જ લાંબેડી ગામના રહીશ હતાં. જ્ઞાતે
www.kobatirth.org
For Private And Personal Use Only