________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર ત્યાગ અને દીક્ષા મહોત્સવ
પી
ગ્રામ વિહાર કરતાં કરતાં અને તપ તથા ત્યાગધર્મનું ભગવાનની આજ્ઞા અનુસાર પાલન કરવા પૂર્વક, આત્માને ભાવતાં ભાવતાં, દેહથી આત્મા તદ્દન ભિન્ન છે એવું આઠે પહેર અનુસંધાન રાખતાં રાખતાં અને ભવ્ય જીવોને ધમ પમાડતાં પમાડતાં અનુક્રમે ગુજરાત-પાટણમાં પધાયા. શ્રી પાટણના સંઘના આગ્રહથી શ્રી હરખથીજી અને લાભશ્રીજીનું ચોમાસુ પાટણમાં થયું. ત્યાં વ્રત, પચ્ચખાણ, તપ અને ત્યાગવડે ગુણીજી મહારાજની આજ્ઞામાં વિનયમૂલ, ધર્મ સહિત સંયમ કેળવવાનું પવિત્ર કાર્ય શ્રી લાભશ્રીજીએ કર્યું અને પોતાના આત્માને વધારે પવિત્ર બનાવે. આ રીતે સંવત ૧૯૫૦ થી ૧૫૪ સુધીનાં માસાં મહેસાણામાં જ કયાં અને મહેસાણા છોડ્યા પછીનું ચેમાસું સંવત ૧૯૫૫ ની સાલમાં પાટણમાં કર્યું.
www.kobatirth.org
For Private And Personal Use Only