________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર ત્યાગ અને દીક્ષા મહોત્સવ
હતું. આ સઘળું સાધ્વીસમાજ માટે મહાભારૂપ હતું. - આ પ્રકરણમાં આવેલી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની અને શ્રીમદ્દ અજિતસાગરસૂરીશ્વરજી મહારાજની કવિતાઓ કાંઇ સાધ્વીજી લાભશ્રીજી નહાતાં બોલતાં, પણ સદ્દગુરુનાં શરણ વિષે, સદ્દગુરુની સેબત વિષે જે પવિત્ર ભાવના શ્રી લાભથીજીમાં ઊગી હતી ભાવનાને અનુકૂળ પદો મળી આવવાથી તે વાંચનારને લાભ થાય તેટલા માટે મૂક્યાં છે. શ્રી લાભશ્રીજીની વાત તે ઉપરનાં પદે રચાયાં તેનાં પહેલાંની ઘણી જૂની છે, એ તે સૌ સમજી શકે તેવું છે.
સંવત ૧૯૫૪ ના ચેમાસાની સ્થિતિપૂરી થવા આવી. કાર્તિક સુદિ ચૌદશ-પૂનમ આવી પહોંચતાં અને સાધુજી તથા સાધ્વીજીનું મહેસાણાનું ચોમાસું સંપૂર્ણ થયું. ઉત્સર્ગથી ભગવાન શ્રી મહાવીરના શાસનની એ મર્યાદા છે કે, ચતુમાંસ રહેલાં સાધુ-સાવીએ ચતુસ વીત્યાં બાદ તરત જ વિહાર કરી જાય; કારણ કે એક સ્થાન કે અધિક કાળસ્થિતિ કરવાથી ગૃહસ્થની સાથે પ્રતિબંધ વગેરે દેશે ઉત્પન્ન થતાં ચારિત્રપાલનમાં શિથિલતા આવી જાય છે. અપવાદથી ચોમાસા બાદ પણ સ્થિતિ કરવી પડે અથવા ચતુમાસ પછી પણ બીજું ચતુમસ એમ અધિક કાળ સ્થિર થવું પડે છે તે માટે નિષેધ નથી; પણ તે કારણિક છે, એમ સમજી સંયમના અર્થી આત્માઓ
www.kobatirth.org
For Private And Personal Use Only