________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર૦ શ્રી લાભશ્રીજી
અંધકાર કાંઈ અંતરકેરે જાય છે. હદયતળાવે ખીલે પંકજ પ્રેમને, વિરતિકેરા વાયુ સુંદર વાય. સ૬૦ ૨ સદગુરૂનું શરણું તે, અમૃતરૂપ છે, આત્મદેવના રાગે સવે જાય છે, અજર અમર પિતાનું રૂપ પ્રકાશતું, આત્મ સ્વરૂપની અખંડ ભાવના થાય છે. સદ્ ૦ ૩ સદગુરૂનું શરણું તે જાણે નાવ છે, ભવસાગરને સહેજે પાર પમાય જો; મેહ મઘરનું જોર કશું ચાલે નહિ, પરમાત્માનાં નિર્મળ દર્શન થાય છે. સ૬૦ ૪ સદગુરૂને સેવે રે જગનાં માનવી, સદગુરૂજી છે, જગના તારણ હાર; અજીતસાગર સદગુરૂને પ્રણમે સદા, ભવતરણના છે સદગુરૂ રક્ષણહાર જે. સ0 પ
આવી ઉચ્ચ ભાવનાઓથી સાધ્વીજી શ્રી લાભશ્રીઇને આત્મા દિનપ્રતિદિન સંવર નિર્જરાની પવિત્ર કરણીવડે વધુ ને વધુ નિમલ થવા લાગ્યો. ત્યાગ વૈરાગ્ય તો એમની રગેરગમાં પ્રચાર પામીને દઢ થઈ રહ્યો હતો, તય અને ત્યાગની ભાવનાથી અને તેને આચરણમાં ઉતારવાથી શ્રી લાભશ્રીજી સાધુધર્મમાં ભારે નિપુણ બની ગયાં. એમણે પોતાને મળેલા મનુષ્ય જન્મને સફળ કરવાનું ડગલે ને પગલે શરૂ રાખ્યું
www.kobatirth.org
For Private And Personal Use Only