________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
વડિલની સેવા છે ત્યારે તે કાયદાની દષ્ટિએ સ્વતંત્ર ગણાય છે. આટલી ઉમરે બાઈ કે ભાઈ પોતાની મરજી પ્રમાણે લગ્ન કરી શકે છે અને એને કેઈ અટકાવી શકતું નથી. તે પછી આટલી ઉમરે સ્વતંત્રપણે મહાપુણ્યવંતી ભાગવતી દીક્ષા શા માટે અંગીકાર ન કરી શકે ? આ પ્રશ્ન ખાસ વિચારણ માંગે છે. આમ છતાં સર્વની રાજીખુશીથી દીક્ષા અંગીકાર કરવામાં વધારે સુખ છે, વધારે સતિષ છે. પરંપરાથી તે ચાલ્યું આવે છે. શ્રી લક્ષ્મીબાઈએ આ રાજમાર્ગને સ્વીકાર કર્યો હતો. ડાહ્યા પુરુષે સર્વને રાજમાર્ગે ચાલવાની અને વડિલેની આજ્ઞા મેળવીને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની વારંવાર ભલામણ કરે છે. - શ્રી લક્ષમીબાઈના હૃદયમાં પાક વૈરાગ્ય જાગ્રત થયે. એમના દિલમાં સંસારની અસારતા સમજાઈ ત્યારે જ એમણે સાધ્વીજી શ્રીદેવશ્રીજી પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની વાત જાહેર કરી. તે વખતે સાગર ગચ્છના આગેવાન મહાપુરૂષ શ્રીરવિસાગરજી મહારાજ પણ મહેસાણામાંજ થિરેવાસ હોવાથી સાધ્વીજી શ્રીદેવશ્રીજી અને શ્રીલક્ષ્મીબાઈ તે મહાપુરૂષની પાસે ગયાં અને ભાગવતી દીક્ષા સંબંધી વાત રજુ કરી હતી, તે સમયે સર્વ અવસરે બનશે એ ઉત્તર આપ્યો હતે. પછીથી શ્રીરવિસાગરજી મહારાજે શ્રી લક્ષ્મીબાઈની સામું શ્રી મીરાબાઈને પિતાની પાસે બોલાવ્યા અને પૂછયું કે
'.
www.kobatirth.org
For Private And Personal Use Only