________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७६
આપ ચરણમાં ચિત્ત પરોવ્યું, દુખ ખલકનું સઘળું ખાયું;
કાપિ જગ જંજીર, તમને લાખે પ્રણામ. ૬ હેમેન્દ્રકેરા સાચા સ્વામી, અલખ નિરંજન અંતરજામી;
(ઘો) અવિચળ ભક્તિ નીર, તમોને લાખે પ્રણામ. ૭
આત્મ સમર્પણ (અંતરેદ્દગાર)
બિહાગ નયને કયાં રીઝવું ? દરશ વિણ નયને કયાં રીઝવું? ટેક. શાશ્વત પ્રેમનું સ્થાન જડે ના, ફરી ફરી કયાં ભમવું? કૃત્રિમ ભાવ વિષે ભરમાઈ, અંતર શું ઠગવું ? નયને ૧ ચંદ્ર મળે તે પ્રેમી કેરીનું ઉર શું રીઝતું ? શશિકરા ગમને પછી થાયે, તેને તે રડવું. નયને ૨ કૃત્રિમ વસ્તુ સુલભ બને પણ, ચિત્ત ન ત્યાં ઠરતું; સચ્ચિદાનંદ નિર્મળ સ્વરૂપે, મુજ મનડું ઠરતું. નયને ૩ પરમેટીમાં શ્રેષ્ઠ સદા તું, દુઃખ હરજે ભવનું; પરમ જ્યોતિ તું અલખ નિરંજન, અગમ અગોચર તું. નયને ૪ નિરામય અનુપમ સહુ જગમાં, તુજ પદને વરવું. મુનિ હેમેન્દ્ર સદા એ ધ્યાને, હારામાં ભળવું. નયનો ૫
www.kobatirth.org
For Private And Personal Use Only