________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६८
તે
હિંસક પ્રાણી વેર ભૂલીને, મમતા સઘળે પ્રસરાવે; ધર્મ અહિંસા સમજી સર્વે, વાણીમાં તન્મય થાય; દેવગ્રસ્ત માનવ પશુ તાર્યા, એવી આનંદકારી. વાણી એવી અદ્ભુત પ્રભુની, અંતરમાં ઉલ્લાસ ભરે; ધ્યાન ધરે જે અંતર જિનનું, અજિત પદવી દિવ્ય વરે; મુનિ હેમેન્દ્ર હૃદય હરખાયે, નાખે સહુ એવારી.
૩
શ્રી શીતલનાથ સ્તવન
(ઉડી હવામેં જાતી એ રાગ) ટો રિપુ અંતરના, પ્રભુ શીતલનાથ પ્રતાપ, શ્રદ્ધાથી પ્રભુ ગાન કરતાં, ટળતા મન પરિતાપ ટળે. ૧ અમૃત સિંચન ઉરમાં યાતું, હર્ષ થકી અંતર ઉભરાતું; મસ્ત દશા આત્માની થાતી, મુખમાં પ્રભુને જપ. ટળે ૨ આશા તૃષ્ણ શમતી સંવે, નિર્મોહી શુભભાવે હૈયે; અશુભ કષાએ સ્થાન ન પામે, વિરમે સઘળા પાપ ટળે ૩ ભેદભેદ સહુ વિસરાતા, કેવલજ્ઞાન હદયમાં થાતાં; એક નિરંજન અલખ સ્વરૂપ, પાડે નિર્મલ છાપ ટળે ૪ સાણંદ પદ્મપ્રભુ જિનમંડળ, ચાહે સહુની ઉન્નતિ મંગળ; મુનિ હેમેન્દ્ર શીતલ ગુણ ગાતાં, કયાંથી હેયે માપ ટળે ૫
www.kobatirth.org
For Private And Personal Use Only