________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ શ્રી ચિંતામણિ પાશ્વનાથ સ્તવન.
(રાગ–ભીમપલાસ) મંગલ દર્શને આનંદકારી,
પ્રભુ પાર્શ્વ જિનેશ્વર સુખકારી; પ્રેમલ મૂતિ હદયે ધારી,
દિનરાત જપું પ્રભુ દુખહારી. પ્રભુ ટેક. લવલેશ પડે ને ચેન જરી,
તુજમાં બનું તન્મય સહુ વિસરી; તુજ વિણ બીજે નવ આંખ ઠરી,
પ્રભુ પાર્શ્વ જિનેશ્વર સુખકારી. તવ દર્શનમાં ઉર આ હસતું, - ચિતડું નિશદિન તુજમાં વસતું; ના અન્ય સ્થળે મનડું ખસતું–પ્રભુ પાર્શ્વ• ૨ ગુણ ગીત ગાઉં તે તુજ ગાઉં,
કરી ધ્યાન અતિશય હરખાઉ, મૂર્તિ મનહર હદયે લાવું –પ્રભુ પાર્થ૦ ૩ અમૃત વરસે તુજ નયન વિષે,
શિવસુખ સુખકર ચરણે જ દિસે; તુજ નામ વિષે અતિ હર્ષ વસે–પ્રભુ પાર્શ્વ૦ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only