SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ૩૪) શ્રી કુમારપાળચરિત્ર. છત્રવિયમાં સાત, ચતુરિંદ્રિયમાં આઠ, અસંજ્ઞી પદ્રિયમાં નવ, અને સંજ્ઞીપચંદ્રિયમાં દશ પ્રાણ માનેલા છે. વળી તે જીવ પર્યાપ્ત અને અપયપણુથી બે પ્રકારના કહ્યા છે. તેમાં પર્યાપ્ત છે પર્યાતિ પામીને અંતમુહૂર્તમાં ઉત્પન્ન થાય છે. તે પતિઓ સમસ્તપણાથી આહાર, કાય, કરણ, ઉસ, વાણી અને મન એવી સંજ્ઞાવડે સર્વજ્ઞભગવાને છ પ્રકારની કહી છે. પયોતિ કર્મવડે તે પર્યાપ્તિઓ એકેંદ્રિયને ચાર, વિકલેંદ્રિયને પાંચ અને પંચંદ્રિયોને છ હેાય છે. વળી તે જીવે વ્યવહારી અને અવ્યવહારી એમ બે પ્રકારના છે. સર્વે વ્યવહારી છે સૂક્ષ્મ હોય છે અને અવ્યવહારી જીવો નિગોદજ હોય છે. તે જ સકર્મ હાવાથી સંસારી હોય છે અને કર્મોને સર્વથા ક્ષય થવાથી કાંતમને હર લેકાંતમાં વિશ્રાંતિ પામેલા અને અનંત ચતુષ્ટથી સિદ્ધ થયેલા જી મુક્ત થાય છે. ચિદાનંદમય જે અક્ષયસુખને મુક્તજીવ અનુભવે છે તે સુખને બુદ્ધિમાન પુરૂષે પણ કોઈ સમયે કહી શકતા નથી. - ધર્મ, અધર્મ, આકાશ, કાલ અને પુદગલ એ પાંચ અજીવ કહ્યા છે. જીવની સાથે એ છને જૈનમતમાં દ્રવ્ય જીવઅનેઅછવ. કહ્યાં છે. જેમ જલચરપ્રાણુઓને આધાર જળ છે તેમ પિતાની શક્તિ વડે સર્વત્ર પ્રસરતા જીવ અને પુદ્ગલોને સહાયક ધર્મ કહ્યો છે. પાંથજનોને વૃક્ષની છાયા જેમ પિતાની મેળે જ સ્થિતિ કરતા જીવ અને અજીવની સ્થિતિનું કારણ અધર્મ છે, એક જીવપ્રદેશાત્મક અને અસંખ્ય પ્રદેશસમૂહાત્મક એવા ધર્મ અને અધમ કાકાશને અભિવ્યાપી રહેલા છે. જીવ અને પુગલોને અવકાશ આપનાર, તેમજ સ્વપ્રતિષ્ઠિત એવું આકાશ અનંત પ્રદેશના વેગથીકાલેકને અભિવ્યાપી રહેલું છે. જે કાલ પરમાણુઓ લોકાકાશમાં રહ્યા છે, તે કાલ મુખ્ય છે. For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy