SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૬) શ્રી કુમારપાળચરિત્ર. ઉદ્યાનપાળ-આરામિક આવ્યો, હરિવાહનરાનીગુરૂ. રાજાને પ્રણામ કરી તેણે વિનતિ કરી, હે દેવ? આપને આનંદજનક વધામણી આપું છું કે, આપના ઉદ્યાનમાં સદગુરૂ પધાર્યા છે. રાજાએ તુષ્ટિદાનથી આરામિકને પ્રસન્ન કર્યો, પળની માફક હસતે મુખે હરિવાહનરાજા સભ્યલકો સહિત સદ્દગુરૂને વંદનકરવા ઉદ્યાનમાં ગયે. પાંચ પ્રકારનો અભિગમ કરી ભૂપતિએ અંદર પ્રવેશ કર્યો. ધર્મનિધાનની માફક ત્યાં વિરાજમાન થયેલા અભિનંદનામે સૂરિનાં દર્શન થયાં, ભક્તિ વડે ત્રણ પ્રદક્ષિણપૂર્વક નમસ્કારકરી જીતેંદ્રભાગવાન્ આગળ ઈંદ્ર જેમ રાજા પુત્રસહિત સૂરદ્રની નજીકમાં બેઠો. આગમના પારગામી ગુરૂએ ચંદ્રમાની કલાસમાન પુણ્યરૂપ અમૃતને ઉત્પન્નકરનાર દેશનાનો પ્રારંભકર્યો. જેમ ભૂમી ઉપર કલ્પવૃક્ષ અને મરૂ ભૂમીમાં ક્ષીરસાગર તેમ સંસારમાં આ માનવ ભવ ઘણે દુર્લભ છે. તે માનવભવ પામીને ચારિત્રને સ્વીકાર કરોએ ઉચિત છે, કદાચિત્ ચારિત્ર પાળવાની શક્તિ ન હોય તે સમ્યકૂવમૂલક શ્રાદ્ધધર્મને સ્વીકાર કરે. અનેંદ્રદેવ, સાધુગુરૂ, દયામયધર્મ, દર્શન અને અહિંસા આદિક વ્રતો કહ્યાં છે. હે ભવ્યાત્માઓ? જે મનુષ્ય સભ્યત્વરૂપ અમૃતપાન સ્વાભાવિક રીતે ન કરે તે મિથ્યાત્વ મહાવિષથી ગ્રસાએલા તેઓ કેવી રીતે જીવી શકે? સંસાર દાવાનલથી બળેલા પ્રાણીઓ જે જનધર્મરૂપી ક્ષીર સાગરમાં પ્રવેશ ન કરે તે ચિરકાલીન શાંતિને કેવી રીતે પ્રાપ્ત કરે? વળી દુતિ આપનાર અન્ય રાજ્યાદિકની ae-१ " सचित्तदव्वमुजण-मचित्तमणुज्जणं मणेगत्तं । इगसाडि उत्तरासंगं, “તિ શિરસિ વિ”િ છનંદભગવાનનાં દર્શન થયે છતે સચિત્તદ્રવ્યને ત્યાગ, અચિત્તનો નહીં ત્યાગ, મનનું એકત્વ, એક સાડી ઉત્તરાસંગ અને મસ્તકે અંછલિ એ પાંચ પ્રકારનો અભિગમ. For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy