SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમસર્ગ. (૩૦૯) માર્ગમાં બાળવાની ઈચ્છાવડે પ્રગટ થયેલી વિશાલ દાવાનલની જવાલાઓને ક્ષણમાત્રમાં નિવૃત્ત કરી છે. હે ભગવન ? હાલમાં મહાન ભાગ્યબલવડે આપ પ્રાપ્ત થયા છે, માટે મેઘની માફક સંસારરૂપ અગ્નિથી પ્રગટ થયેલ અહારા તાપ પ્રબંધને સર્વથા આપ દૂર કરે.” એ પ્રમાણે સ્તુતિકરી ફરીથી નમસ્કાર કરી વિરાંગદરાજા સભાની આગળ હાથ જોડી બેઠે. ત્યારબાદ અશ્વસેનરાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથ ધર્મદેશના. * ભગવાને ધર્મદેશના પ્રારંભ કર્યો, देहः सैकतगेहवत्, तरुणता शैलापगापूरव लक्ष्मीः स्त्रैणकटाक्षवत् , प्रणयिनीसंगस्तडिद्दण्डवत् । ऐश्वर्य खलमैत्र्यवत् , परिजनस्नेहः पताकाग्रवत् , सौख्यं वारितरंगवच्छत्सितमप्यंभोदवच्चञ्चलम् ॥ १॥ રેતીના ઘરસમાન દેહ છે, પર્વતમાંથી નીકળતી નદીના પૂર સમાન યૌવન છે, સ્ત્રીઓના કટાક્ષ સમાન લક્ષમી છે, વિજળીના ચમકારા સમાન સ્ત્રીસંગતિ છે, ખલપુરૂષની મૈત્રી સમાન એશ્વર્ય છે, પતાકાના અગ્રસમાન પરિવારને સ્નેહ છે, જળ તરંગસમાન આ દુનીયાનું સુખ છે, તેમજ જીવન પણ મેઘની માફક ચંચલ છે.” માટે બોદ્ધમતની માફક સર્વ જગને ક્ષણિક જાણુંને અક્ષય નિધાનસમાન એક ધર્મનું જ તમે આરાધન કરે, જલવડે વૃક્ષ જેમ નિ:સીમ સુખને પ્રગટ કરનાર બંને લોકને મહાન ઉદય માત્ર એક ધર્મવડે જ ઉલ્લાસ પામે છે. આ લોકમાં હેટ વૈભવ અને વિશાલકુટુંબ ભલે હોય પરંતુ ભવાંતરમાં સહાય કરનાર તે માત્ર ધર્મજ થાય છે. દેવપૂજા, દયા, દાન અને શુભધ્યાન વિગેરે For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy