________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૬)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*વ્યારાઅમૃતને ! ( ૨૦ ) સવૈયા.
તુજ કર્તવ્ય કર્યું નહીં પૂર', હાંશ કરીને આર યુ; મધુર વચનથી હૃદય વિંધાયું, તવ સ્વરૂપ માંહી સ્ત યુ અરે! જીગરના દોસ્ત! મહાશય! અતીવ રમ્ય મૂત્તિ ત્હારી, ચાદ અહર્નિશ આવે નયને; નીરધાર લાવે ભારી. સુંદર યોવન મધ્ય દેહતુજ, કાળ તણા આધીન થયે; તુજ આ મિત્ર તણા દિલના જવર, કેમ! મુખેથી જાય કહ્યા ? ધ્યેય ધારૂં કઈ રીતે પ્યારા, અભિન્ન દિલને ભેદી ગયા;
અધ:સ્થાનપર ત્યાગી સ્નેહીને, ઉત્તમપદ જઇ બેસી રહ્યા. ર સમય સમય તુજ વાર્તા કરતાં, રમ્યમૂર્તિ સાંભરી આવે; શેાક સમુદ્રે ડૂબાવીને, વાર વાર દિલ તલસાવે; હાસ્ય તૃત્તે પડી જાય બંધ છે, વાગે તીવ્ર તીરી તનમાં;
શિરીષ કુસુમની મૃદુલ પાંખડી, મળે વિરહદવથી વનમાં. ૩ ફરી ઝાંખી કરવાને આતુર, ફરી વાર્તા કરવા મન છે;
ફ્રી તાળી લેવા તુજ કરની, પૂર્ણાતુર જરૂર તન છે; એક તરૂની લિત ડાળીપર, એસી ઘડી વિશ્રામ કર્યો;
દીલ આપી તલસાવી તનને, અગમ્ય સ્થાન જઇ કેમ ઢોં! ૪ આ પંખી ! તુજ રમ્ય પાંખડી, કલરવ રમ્ય મરી આવે; પ્રાણાત્મન્ !હે રમ્ય મિત્ર ! તુજ, દોસ્ત સારૂ કેમ શ્રી નાવે?
૧
ગુરૂભ્રાતા મુનિશ્રીઅમૃતસાગરજી, શાસ્ત્રવિશારદજૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજીના શિષ્ય હતા. તેઓનું અભ્યાસ તરફ પ્રથમથી જ સારૂ લક્ષ્ય હતું, પરંતુ તેઓના ભરયુવાનીમાં સ્વર્ગવાસ થવાથી તેમના માટે જે સારી આશાઓ રાખવામાં આવી હતી, તે સ નાશ પામી—તેઓના એ અકાળ મૃત્યુના પ્રસંગને અનુસરી આ કાવ્ય લખાયુ છે.
For Private And Personal Use Only