________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
श्रीमद्गुरुदेवस्तुति.
રઘુપતિ રામ હદયમાં રહેજે રે-એ રાગ. રૂડા ગુરૂદેવ? હૃદયમાંહી રહેજો રે, દાનજ્ઞાન અમૃત તણાં દેજે, રૂડા–એ ટેક. તમે જ્ઞાનસાગર ગુરૂદેવારે, સારી શીખવજે ગુરૂ? સવારે, અમને ભકિતતણું દેજે હેવા.
રૂડા-૧ રૂડી મૂર્તિ મનમાંહી ભાવે રે, વિરહ અશ્રુને નયણામાં લાવે રે. દિવ્ય વાણી તન તલસાવે.
રૂડા-૨ શાંતિ કેરા તમે શુભસિંધુ રે, એક નવરમાં લક્ષબિંદુ રે, ગ અભ્યાસના બીજા ઈન્દુ.
રૂડા–૩. આપે જન્મ સફળ કરી લીધો છે, પ્રેમ ખ્યાલ પૂરણ તમે પીધો રે, ઉપદેશ અનુપમ દીધે.
- રૂડા-૪ જે જે દેશમાં આપ પધાર્યા રે, ભવસાગરથી જન તાર્યા રે, અજ્ઞાનતિમિરથી ઉદ્ધાયો.
રૂડા–પ મેટા મહીપતિ રાખતા માજા રે, નામ સાંભળી જન આવે ઝાઝારે, સર્વ શાસ્ત્રજ્ઞાતા ગુરૂરાજા.
રૂડા-૬ વિદ્યાપુર કેરી ભૂમિ છે સારી રે, જન્મભૂમિએ ભવ્ય તમારી રે, ત્યાંનાં તાર્યા તમે નરનારી.
રૂડા-૭ સાધુરૂપ સાચવીયું છે સાચું રે, જગસુખને જાણ્યું હતું કાચું રે, ભાવભકિત તમારી હું યાચું.
રૂડા–૮ અજીતસાગરના મનમાંહી આવે રે, બુદ્ધિસાગરજી દયાલા રે, કૃપાવારિ વિમળ વરસાવે.
રૂડા-૯
For Private And Personal Use Only