________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૯ ) चन्द्रापीडने राज्यारोहणकरतां, प्रधानशुकनासे
આ સોધ. (૬)
સવૈયા. (કાદમ્બરીમાંથી) લક્ષ્મી સ્વરૂપ વિચારે પહેલાં, ચહે હૃદયમાં જે કલ્યાણ;
યોદ્ધાઓના ખડ્ઝ કમલમાં, રહેનારી ભ્રમરી એ જાણ; પારિજાત બાન્ધવ પાસેથી, લઈને આવી છે અનુરાગ; ચન્દ્રકલા પાસેથી લાવી, વકપણું કેરૂં સૌભાગ્ય.
૧ ઉચ્ચ શ્રવસૂ અશ્વ પાસેથી, ચંચલતાનું એને શુર,
ભાઈ? હલાહલ પાસે શીખી, મેહન શક્તિ બની ચકચૂર; મદિરા પાસેથી મદ લીધે, કઠિનપણું કૌસ્તુભની પાસ
વિયાગ કાલે હેની લાવી, બાન્ધવ પાસેથી જ વિલાસ. ૨ એ કુટિલાના જેવું જગમાં, અપરિચિત જનકેઈ નથી,
પ્રાપ્ત થયા પછી પણ સહેજે, રહેતી કદીએ જોઈ નથી; ગુણ સ્વરૂપ દઢ પાસે બાંધે, તે પણ સટકીને જાતી;
શૂર પુરૂષને બલ્ગ પાંજરે, પુરિએ ત્યાં નથી સ્થિર થાતી. ૩ અશ્વસમા હાથીના દળથી, ઘેરાતાં પણ નાજ રહે,
સમીપ રહે છે તે પણ લક્ષ્મી, જન પોતાને નાજ કહે, ઉંચા કુળને એ નથી જોતી, સ્વરૂપ સામું નવ દેખે;
કુળના કમને નથ અનુસરતી, સદ્ગણ જનનેનવ પેખે. ૪ ચતુરાઈને ચિત્ત ચહે નહી, શ્રુતિને સાંભળતી જ નથી,
ધર્મ તણું પણ માન્ય ન રાખે, ઉદાર પ્રતિ વળતી જ નથી, જ્ઞાનતણે આદર નથી એને, વળી હાલ આચાર નથી;
સત્યતણું તો સ્મરણ કરે નહી, શુભ લક્ષણપ્રતિ પ્યાર નથી. ૫ ગગનસ્થિત ગાન્ધર્વની નગરી, ઉડી જાય તો માંહી,
એમ જ ચંચલ ગુણ યુત લક્ષ્મી, નથી દેખાતી સ્થિર કાંઈ
For Private And Personal Use Only