________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) દેખાતું આ જગત તરૂ છે, જીવ છે પત્ર તેનાં,
તેને હર્તા કરિવર વડે, કાળ કેદી તજે-ના; રાને રહેતાં હરણ ગણને, સિંહ સંહારી દે છે,
એવી રીતે સકળ જીવને, કાળ હા? કાપી લે છે. બ્રહ્મા વિષ્ણુ હર વળી બીજા, દેવ જે વિશ્વમાં છે,
એ સર્વેને અનુક્રમ વડે, હરે સ્વલ્પમાં છે; ઉત્પત્તિને સ્થિતિ પ્રલય એ, સર્વને કાળ કર્તા,
કલ્પાને વા બૃહત કલપે, એક છે કાળ હર્તા. અગ્નિમાંહી જેમ કૃત તણી, આતિ નાખે છે,
વધે છે તે તેમ તેમ દ્વિધા, તૃપ્ત ક્યારે બને છે; આ બ્રહ્માંડે પ્રતિપળ અને, માસ વર્ષો બધામાં,
સંહારાર્થે સનમુખ ધસે, કાળ દેતે દદામા. દેવ કેરે અધિપતિ વડે, ઈન્દ્રને દીનતા દે,
ફૂટી ફૂટી ઝુંપડી વસતા, દીનને ઇન્દ્રતા દે, મેરૂ જેવા ગિરિવર તણે, રાઈ દાણે બનાવે,
રાઈ કેરા જરિક કણને, મેરૂ હેજે ચણાવે. હાથી વાળ ધનિક જનને, પાયથાળા કર્યા છે,
હાથે ખાલી ગરિબજનને, દ્રવ્યવાળા કર્યા છે; ઉંચાઓને ક્ષણભર વિષે, નીચતા માંહી નાખે,
નીચાઓને અધિક બળથી, ઉચ્ચતા સ્થાન રાખે. બિન્દુ કેરો ઉદધિ કરિદે, કાળનો છે પ્રભાવ,
સિધુ કેરૂં બુદ ખુદ કરે, કાળને એ સ્વભાવ; આ ભવ્યાત્મા ગરિબ મૃગ છે, પારધી કાળ તેને,
એ કઈ મરદ નથી કે, કાળ સ્વામી ન જેને.
For Private And Personal Use Only