________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) કહેશે જગતકે નારીના બદલે ગુમાવ્યો ભાઈ હું,
અપજશ હવે એ ટાળવા, ઓ આપ્ટ બાંધવ ! જાગને? ૫
જૂઠપૂઠાંહાય. (૨૨)
શાર્દૂલવિક્રીડિત. આ છે ખેલ મહાન એક જનને હાસ્ય ભલે ઘણે,
તે માંહી નરનારીઓ બહુ મલ્યાં, ને ખેલ જામ્ય ઘણે; તે જોઈ હરખે ભરાઈ જન આ, સર્વે રસ્યાં હાસ્યથી,
હું જાણું મરનારના હૃદયનું, કઈ મરેલું નથી. ૧ કીધું છે પ્રભુએ કદીક સત્ય તે, મિથ્યા થનારૂં નથી,
કીધું છે પ્રભુએ અસત્ય કદિ તે, સાચું થનારૂં નથી; . રેવું સત્ય કદાપિ હાય પછી તે, રેવા પછી હાસ્ય શું?
સાચું રોદન એકવાર થયું તે, શી રીતે આવે હસું? ૨ જેને ઘા નિજપુત્રના મરણના, વાગ્યા અને જે રડ્યા,
જેને ઘા નિજ પુત્રીના મરણના, વાગ્યા અને જે રડ્યા; જેને ઘા નિજ બધુના મરણના, લાગ્યા અને જે રડ્યાં,
તેને મૃત્યુ સુધી કેમ હસવું, આવે ? ન આવે કદા. ૩. જે રેવું થયું સત્ય એક દિનતે, છે હાસ્યને માર્ગ કયાં?
જે પ્રેમીજન? સ્વર્ગ તે જગતમાં, છે હાસ્યને ક્યાં જગ્યા? આ નાટયે હસનારનાં સુતસુતા, જે સ્વર્ગમાં છે ગયાં,
તે આ હાસ્ય અસત્ય છે જન તણું, જૂઠું હસું જાણજે. ૪ સાચાં શાક ગ્રસેલ પ્રાણી જગમાં, કઈ દિને ના હસે,
ને સાચાં વિરહે ભરેલ મનુષ્ય, કેઈ દિને ના હસે; હું જાણું મરનારના નિકટનું, કેઈ સગું છે નહીં,
કે જેથી હસનાર સર્વ મનુષ્ય, ભેગા થયા છે અહીં. ૫
For Private And Personal Use Only