________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮ ) સામાન્યરોષ. ( ૨ ) હરિગીત છંદ.
જન્મ જગતમાં શ્વાન છે, ને પેટનું પાષણ કરે; તે સાંભળે કાના વડે, નયના વડે નિરખ્યા કરે; ચરણે કરે છે પૃથ્વીપર, ભય આવતાં દિલમાં ડરે; પંચેન્દ્રિયાનાં કમ કરી, માનવ તણી પેઠે મરે. આ સ કાર્યો માનવા ને, શ્વાન માંહિ સમાન છે; જન્મ જગતમાં માનવા, પાષણ ક્રિયામાં જાણું છે; છે સાંભળે શ્રોત્રાવડે, નયના વડે નિરખ્યા કરે; પંચેન્દ્રિયાનાં કર્મ કરીને, શ્વાનની પેઠે મરે.
એ માનવા ? માનવ અની, કંઈ ખ્યાલ નિજ મનમાં ધરા; પશુને મળેલાં સુખ વડે, ફૂલાઈ શુ ફરતા ફા ? એ શ્વાનથી જો શ્રેષ્ઠ છે તેા, શ્રેષ્ઠ કાર્યા આદરી;
પાષણ કરી નિજ પેટનુ', પર પેટનું પાષણ કરો. નિજ જ્ઞાતિનું નિજ દેશનું, નિજ ધર્મનુ પાલન કરા; નિજ અન્ધુનું નિજ ભૂમિનુ, નિજ ગ્રન્થનું લાલન કરી; જીવા પરાયા કારણે, પરમેશને બ્યારા કરા;
સત્ ચિત્ પ્રભુની ભાવના; અતર વિષે સાદર ધરી. નિન્દા કરા નહી કોઇની, ને દ્વેષ તેમજ નવ કરો;
ધન માલ આદિક અન્યનાં, નિજ પેટ માટે નવ હરી; પરનાં દુભવતાં દિલ તમા, દીનબંધુના ડરથી ડરા;
માનવ થયા છે. પુણ્યથી તેા, જન્મને સાર્થક કરો. ૫ શુક્રાચરણને આચરે; શ્વાનાદિવત્ નવ સ ંચા;
પશુ પંખીને છે પ્રાપ્ત સુખ, તે માંહી શુ રામ્યા કરે ?
For Private And Personal Use Only