________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૭ ) પુનાહિનીમાબવા. (૨૭)
આ. આજ સ્થાનમાં આજ દેહને, અતી શેકનું સ્થાન હતું;
આજ સ્થાનમાં આધિ વ્યાધિનું, આજ દેહને દાન હતું; આજ દેહમાં આત્મા રહેશે–ચા નહિ તે સન્દહ હતો; ચિંતાની જ્વાળામાં તપ, દુર્લભ મહારે દેહ હતે. ૧ એ જ ભૂમિમાં પુનઃ આવવું, ઉભય વર્ષ પશ્ચાત થયું; દુ:ખકર એ અતિ આધિ વ્યાધિનું, અંતરાત્મામાં સ્મરણ થયું, દેહ એક ને એકજ પૃથ્વી, તે પણ આજે વ્યાધિ નહી,
પૂર્ણ હર્ષ તે નહી પણ એમજ, અંગ વિષેય ઉપાધિ નહી. ૨ માનવ જીવનની આશા માંહી, તત્વ હર્ષનાં કાંઈ રહ્યાં; અંતરાત્માની શુદ્ધ સ્થિતિમાં, એમ તત્ત્વ છે કાંઈ ભર્યા; એક સ્થાનને એક દેહનું, અસ્તિપણું યદિ હાય રહ્યું.
જીવન આશ સહ હૃદય શુદ્ધિ વણ, પ્રેયસ વિશ્વ ભલેજ રહ્યું. ૩ અત: હર્ષના અગર પ્રેમના, વાંક જનને છે વિનતી; અંતરાત્મની શુદ્ધિ કરી , હદય શુદ્ધિ વિણ મુક્તિ નથી; જીવન આશ નિવિન પણયે, પસાર થાય ત્યાં પાય ભરે;
જીવન આશ નિર્વિન પણ), ન થાય એવું ન કાર્ય–કરે. ૪ પ્રેમી મિત્રે? પ્રેમી બાંધવ? સફલ જીવનની આશ કરે, અંતરાત્માને શુદ્ધ થવાને, સંત સંગને ખાસ કરે; ગુરૂ? 8 ગુરૂ? પરમાત્મન?, આપ ચરણના દાસ કરે; જીવન આશ સહ હૃદય શુદ્ધિને, પ્રગટ કરી ત્યાં વાસ કરે. ૫
For Private And Personal Use Only