SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) તુજ જીવતરના સમીપ પણુમાં, સર્વે નિત્ય પણે નિરખે; જેમ જેમ જીવતર વહી જાશે, ગત વસ્તુ તેમ ર પરખે; મરણ દિગંત વિષે તુજ સાથે, સર્વે આલમ લય થાશે; મેહ મેરૂના તિમિર પછાડી, આત્મા ક્યાં ઠરશે હાશે ? ૧૦ હવે વસ્તુ એ પ્રાપ્ત કરી લઉં, દિગંત માંહી પ્રકાશ કરે, રોઈ પડ્યો છું આવણ વળે, જાતાંમાં હરખાઉં ઉરે; દુખદ વસ્તુથી હરખી જાઉં નહી, પ્રાપ્ત થવા નવ યત્ન કરું; સુખમય હો પણ નાશવંતની, હૃદયે સ્વલ્પ ન આશ ઘરૂં ૧૧ સુખમય પણ એવી ગૃહી લઉં કે, જે વસ્તુ ટાળી ન ટળે; અસંખ્ય વેગથી મુજને ત્યાગી, ચળાવતાં નવ રંચ ચળે; આપત્કાળે કારજ સારે, દુઃખમાં બાંધવ રૂપ ધરે; ભુખમાં ભેજન રૂપ ગૃહી લે, સુખમાં સજ્જન રૂપ કરે. ૧૨ દંતકસિનો વામ. (૧૦) હરિગીત. એ અજ્ઞ હંસી? પ્રજ્ઞથા? શીદ વ્યર્થ તું અથડાય છે ? માનસ સરોવર ત્યાગીને, કેમ ભીંત સહ ભટકાય છે? મેંઘા અતિશય મૂલ્યનાં, મેતી અહીં તે થાય છે; કે જે વડે શિવ જીવન છે, તે ત્યાગી શીદ રજ ખાય છે? ૧ અહીંથી ઉડી બીજે સ્થળે, કંઈ સત્ય ગ્રહવા જાય છે; પણ હંસીને માનસ વિના, કઈ રીતે જીવન વહાય છે? વનમાં ઘણા ઉલૂક વસે, અહીંથી ઉડીને જઈશ જે; અણચિંતવ્ય એકાક તું, મૃત્યુ તણે વશ થઈશ તો. ૨ હારી હને ચિંતા ન હો? પણ, તુજ તણું મુજને ઘણી તું અજ્ઞ ને હું પ્રજ્ઞ એ, જૂદાઈ છે વચ આપણી; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy