________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧) અપરાધત્તમાત્ર. (૪)
છંદ-શિખરિણી. પ્રભે! હારી ભક્તિ, હદયમળ ત્યાગી નથી કરી;
પિતાને માતાની, ચરણરજ હે ના શિરધરી; છતાં આ પાપીની, કુમતિ ઘટમાં આવી હરજે.
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૧ હજારો આશાના, વિકટગિરિ સંસારવનમાં,
ભુલ્યો છું હે સ્વામિન્ ! ચટપટી હવે લાગી મનમાં, દયા લાવી આવી, મુજકર ગ્રહીને વિચરજો,
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૨ દયા દષ્ટિ રાખી, ગરિબતણી સેવા નવ થઈ,
અરે ! સ્વામિન ! જોતાં, ઉમર પણ અધી વહિ ગઈ, હવેથી સત્પથે, ગમન કરવા હામ ભરજે,
જગન્માતા ! પિતા ! મમ સહ ગુન્હા માફ કરજે. ૩ સ્વયં ગુંજે પુજે, મધુકર ભમે છે મધુવને,
અકેલે રાત્રીએ, કમળરસ ચૂમે કદિ દિને; ન જાણે હસ્તિને, ભય પણ સહાયે ઉતરજે,
જગન્માતા પિતા ! મમ સહ ગુન્હા માફ કરજે. ૪ બીજાઓની સાથે, હળીમળી કરી ના પ્રિતલડી,
તથા તેઓ પ્રત્યે, હિત પ્રિય વદી ના જીભલડી, કીધા વેરી માથે, પણ મતિ હવેથી સુધરે,
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૫ રમી ઉધી બાજી, છળ કપટ કીધાં બહુ હશે,
અને અલ્પજ્ઞાને, હજી પણ કુકૃત્યો થઈ જશે; હવે એ કૃત્યથી, સ્વમતિ બચવાનેજ કરજે,
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૬
For Private And Personal Use Only