________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) ઉચર્યો શ્રવણ હે ભૂપ વર !, ચિન્તા હુને મરતાં નથી, જમ્યાં જગતનાં માનવી, ટકવ્યાં કદી ટકતાં નથી આ બાણ વાગ્યે પેટમાં, નિઃસાચું નિસરતું નથી ! કાઢે તમે નિજ હાથથી, દિલડું કહ્યું કરતું નથી. અવધેશ દ્વિજના હદયથી, શર કાઢવા જયારે ગયા, તત્કાળ તેને જીવ એ, મૃત્યુ તણા તાબે થયો; મા બાપ તરડ્યાં ટળવળે છે, શ્રવણનાં આશા ભરી, નૃપ નીર લઈ હાંહી ગયા, જળ તુંબડી આગળ ધરી. ૬ હે પુત્ર ! તું બોલે નહી ત્યાં-સૂધી જળ પીશું નહી, ગદ ગદ સ્વરે નૃપ ઉર્યો, નથી શ્રવણ તો અહિયાં કંઈ આ દુષ્ટ ક્ષત્રિય પુત્ર દશરથ, અવધને ભૂપાળ છે હાથી બદલ હે રાત્રિમાં, આ શ્રવણને કાળ છે. ૭ દિલગીર ! હા! દિલગીર ! કોમળ; કદલીપર ક્રૂર ઘા થયા, અમ અંધ જનની જનકને, આધાર સુત માર્યો ગયે; ઓ ભૂપ ! તું ચિતા ખડક ! અમ પુત્ર શબ પાસે જઈ, મરિશું બળી મૃત લાડિલાની, સાથે જીવવું છે નહીં. ૮ કીધા પ્રમાણે જઈ કરી, ચિતા નૃપે વનને વિષે, મરતે સમે જેડી લીધા, નિજ જીવ ઉભયે પ્રભુ વિષે; અમ અન્વના પ્રિય પુત્રને, વિયેગ જે આ સમે, તેવો થજે આ ભૂપનો, એ શાપને દઈયે અમે. એ શાપ નૃપને આપીને, એ અંધ સ્વર્ગે સિધાવિયાં, સાહસ કરી નૃપ દશરથે, મૂળ દુ:ખડાનાં વાવ, અન્ત બન્યું એ એમ શ્રી, રઘુવીર વનમાં સંચર્યા, વિયેગમાં દશરથ તદા, પરલોકમાંહી પરવર્યા.
૧૦
For Private And Personal Use Only