________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૯) જયજયકાર થાય ત્યાં સુરને, દેવે મહેર કરી દીધી, અગમ તલાવડી કેરે કાંઠે, કરૂણું પ્રેમપણે કીધી. મઘર સર્પ હસ્તી સહ વિરમ્યા, કાદવ કિચ્ચડ સર્વ ગયાં, વિમળ વારિને મઘુર પાનથી, ભવસંકટ બળી ભસ્મ થયાં. તિમિર ઘટા સર્વે વિણસાઈ, વેત પ્રકાશ બધે છા, નિર્મળ નિર્જળ તલાવડીમાં, જયજયને ધ્વનિ પ્રસરા, દેના ઓવારે બેસી, નિડરપણેથી સ્નાન કરું, શ્રી છનવર જગજીવનનું, સ્નેહ સાથે શુભ ધ્યાન ધરૂ. ૯ તશયચોત. (૪)
છંદ હરિગીત. ઘન ઘેર રાત્રિ શ્યામ છે, પશુ પંખી દિનચર વિરમ્યાં, ઘુવડ અનિષ્ટ રટ્યા કરે, ગિરિ ધોધ ઝરણું ધમધમ્યાં, ઝણુણાટ કરતી જામિની, જયાં જગત જન ઉંઘી ગયા, મૃગ મારવા નદીને તટે, અવધેશ સન્તાઈ રહ્યા. ૧ જનની જનક લઈ આંધળાં, નિજ શ્રવણ તીર્થાટન કરે, તરખ્યાં થયાં મા બાપ અર્થે, તુંબડીમાં જળ ભરે નૃપતિ વિચારે જળ પીતા, આ હસ્તિને સ્વર છે અરે ! તો શબ્દવેધી દશરથે, શર શ્રવણને માર્યું અરે ! ૨ ઉચર્યો શ્રવણ હા ! હા ! કહો, નિર્દોષ તન લેવું શરે, જીવ જાય તેની ફિકર નહિ, મા બાપ પણ તરસ્યાં મરે, એ માનવીને શબ્દ સાંભળી, અવધપતિ ત્યાં આવીઆ, હસ્તી બદલ વિંધ્ય શ્રવણ, જળ નયનરમાંથી લાવીઆ. ૩ અફસ મનમાં બહુ કરે, ક્ષત્રીય જન પ્રતિપાળ છે, હાથેજ હારે હા ! અરે !, દ્વિજને થયે આ કાલ છે; હેનાર વાત થઈ ગઈ. બે હાથ જોડી ઉચરે, હે ભાઈ! તપસી શ્રવણ તું, મુજ અજ્ઞને માણી કરે. ૪
For Private And Personal Use Only