________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહી ડેઢ ડાહ્યો ભલા ભાઈ ! થાજે
અરે ! પંથી તું સત્યને પંથ જાજે. ભસે શ્વાન તોહે ધરે ના પૃહા તું, - ડરાવે વરૂ તો ડરે રંચ ના તું; મીઠું અન્ય તું પંથીને પાણી પાજે,
અરે ! પંથી તું સત્યને પંથ જાજે. ખરે પ્રેમને લક્ષના ગામમાં છે,
ખરે દેહને લક્ષના ધામમાં છે; અને મધ્યની ભૂમિમાં ના ભરાજે,
અરે ! પંથ તું સત્યને પંથ જાજે. મહારાજને રાય ત્યાંહી વસે છે,
વટેમાર્ગુ ત્યાં જઈ સદાયે હસે છે; ધરી ધર્મેને ત્યાં ધસીને જ ધાજે,
અરે ! પંથી તું સત્યને પંથ જાજે. ખરા મિત્રના ત્યાં ભર્યા છે સુમેળા,
ખરા સુંખની ત્યાં ભરી ખાસ વેળા અછતાબ્ધિ આત્મીય આનંદ આજે,
અરે ! પંથ તું સત્યને પંથ જાજે. વહી જાય ના આ ઘડી બેનું ટાણું,
વટી જાય ના હાલનું સત્ય બહાણું; પ્રભુ પાન્થના સંગમાં તું ગણજે,
અરે ! પંથી તું સત્યને પંથ જાજે.
For Private And Personal Use Only