________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૬]
કર્મયોગ ૨૩૩ જ્યાં ધર્મ ત્યાં જય અને અધમથી પરાજય,
પૂ. ૬૪૭ ધર્મ કામ અને અર્થના ઈચ્છકોએ સંસારવ્યવહારમાં પ્રથમ સદાચારના સેવકો બનવું જોઈએ. ન્યાÀસદાચાર વિના અનેક રાષ્ટ્રને અધઃપાત થયે. જે ધર્મના મનુએ અને રાજ્યસત્તાધીશ લેકોએ ન્યાસદાચારને પરિહર્યા તેઓની અદશા થઈ એમ ઈતિહાસનાં પાનાં ઉકેલતાં અવબોધાય છે. આધ્યાત્મિકજ્ઞાનથી સદાચારનાં રહસ્ય વિશ્વમાં જીવતાં રહે છે. અએવ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને સદાચારનું સંરક્ષણ કરવું જોઈએ. લૌકિક કર્મ અને વર્ણ એ બે વડે યુક્ત મનુષ્યો વિશ્વમાં સ્વાધિકારવડે સદ્ધમ્પકમાં સારી રીતે સંગત હોય છે. ઈશ્વરની ભક્તિથી, ગુરુની ભક્તિથી, ધમીઓની સેવાથી અને સાધુઓની સેવાથી સદાચારના વિચારોની પ્રાપ્તિ થાય છે. આચારવડે અને શુભ-શુદ્ધ અધ્યવસાવડે મેક્ષમાર્ગની આરાધના કરી શકાય છે. જ્ઞાનક્રિયા વડે મોક્ષ છે. કિયા એ આચારરૂપ છે પરંતુ તેમાં દુર્ગણોનો પ્રવેશ થાય છે તે આચારમાં મલિનતા પ્રકટે છે. આચારવડે શુભ અધ્યવસાયે પ્રકટાવવાથી આત્માની શુદ્ધિ થાય છે. જે જે આચારેવડે આત્માના અધ્યવસાયની શુદ્ધિ થાય છે તે તે આચારોને સ્વાધિકારે સેવવાની જરૂર છે. આત્માના જ્ઞાનદશનચારિત્રગુણની શુદ્ધિ માટે આચારોની ઉપયોગિતા છે. સદાચારમાં સ્થિર રહેવાથી આત્માના અધ્યવસાયની શુદ્ધિમાં સ્થિર રહેવાય છે.
સ્વર્તિવ્યવિચારમાં પ્રવૃત્ત થવાથી સર્વ પ્રકારની સ્વપરની શુભ શક્તિઓને ઉદય થવાને છે તે વિના લાંબાં લાંબાં ભાષણથી તસુ માત્ર પણ આગળ પ્રગતિ થઈ શકે
For Private And Personal Use Only