________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[ ૪૭ )
૨૦૫. ધાર્મિક ક્રિયાના ભેદમાં મુંઝાવું નહીં.
પૃ. ૫૯૧-૯૨
સવજી પરમાત્માની એવી આશા છે કે ધર્મક્રિયાના ભેદોમાં મુંઝાવું નહીં અને જે જે ક્રિયાથી અહિંસાદિ ગુણોની ઉન્નતિ થાય તથા અન્તરામદશાપૂર્વક પરમાત્મપદ પ્રગટે એવી સર્વ ધર્મક્રિયાના ભેમાં સત્યતા છે અને તે અધિકારી ભેદ કરવી જોઈએ. મહાવીર પ્રભુના શાસનમાં ક્રિયાભેદે કલહતા ટળે અને પરસ્પર ગચ્છઘરમાં ક્રિયાભેદે કલેશ ઈર્ષ્યા ટળે તે તેઓની સમષ્ટિની ઉન્નતિ વિદુવેગે થયા કરે એમાં કશું આશ્ચર્ય નથી. આત્મજ્ઞાનિયે વિશેષ પ્રમાણમાં પ્રગટે અને તેઓ ક્રિયામાં રાગદ્વેષના કાંટાઓ પ્રકટે છે તેઓને દૂર કરે તે કરડે મનુછે પરસ્પરના શ્રેયકમાં આત્મભેગ આપી મુક્તિ પ્રાપ્ત કરી શકે. આત્મજ્ઞાની સર્વ ધમકિયાઓમાં અને પરસપર ક્રિયા કરનારાઓ તરફ સમાનભાવ ધારણ કરીને ગમે તે ગ૭મતપંથ સંપ્રદાયમાં રહ્યો છતે અન્તરથી નિલેપ અને બાહ્યથી ચિતકર્મ કરતો છતે મુક્તિને જરૂર પામે છે–એમાં અંશ માત્ર શંકા નથી. જ્યારે આવી દશા છે ત્યારે સર્વ મનુષ્યએ પરસ્પરમાં આમતા દેખીને શા માટે ધર્મોન્નતિ ન કરવી જોઈએ ? અલબત્ત ધર્મોન્નતિ કરવી જોઈએ. વિવિધ ભેદવાળી ક્રિયાઓથી, વિવિધ ધર્મ પ્રવૃત્તિ
થી અનેકતા દેખાતી હોય અને તેવી ભિન્ન ભિન્ન ક્રિયાકારકેની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ દેખાતી હોય તે તેને ઉરછેદ કરવાની કઈ પણ જરૂર નથી.
For Private And Personal Use Only