________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૯૧ ] ઇત્યાદિ ને તપ કહેવામાં આવે છે. અશુભ ઈચ્છાઓને જેથી રાધ અને આત્માની શક્તિ જેથી પ્રગટ થાય એવા સવ ઉપાને તપ કહેવામાં આવે છે. વ્યવહાશ્કિ સર્વજનેપગી શુભકાર્યો કરવામાં જે જે મન વાણી કાયા લક્ષમી અને સત્તાને વ્યય થાય છે તે પણ વ્યાવહારિક શુભતપ અવધવું. પરમબ્રહ્મની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃત્તિ ને વિચારોને સેવવા પડે છે અને તેમાં સહનશીલતા રાખી દુઃખ સહવાં પડે છે તેને ધમરપ અવધવું. વિદ્વાને ક્ષત્રિયે વેશ્ય અને શુદ્રો જે પ્રવૃત્તિને અનેક કષ્ટ સહીને શક્તિોના વિકાર માટે સેવે છે–તેને તપ અવધવું. લૌકિક અર્થકામાદિની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃત્તિઓ કરવી પડે છે અને તેમાં જે જે સહવું પડે છે તેને વિશ્વ તપ કરે છે. લેકોત્તર જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ માટે માનસિક વાચિક કાયિક કને વેઠીને જે જે કષ્ટસાધ્ય પ્રવૃત્તિને સેવવી પડે છે તેને ચાર તપ કહે છે. અનશન, ઉદરિક વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ ભેદને આત્મશક્તિના વિકાસાથે કરતાં બાહાતપ તરીલી પ્રબોધવામાં આવે છે. પ્રાયશ્ચિત, વિનય વૈવાદૃ, સ્વાદ થાય દાન અને શેર આ છ આયંતરિક તપભેદ છે. સંઘની પ્રગતિ માટે ધર્મની પ્રગતિ માટે અને આત્માની પ્રગતિ માટે બાર પ્રકારના તપમાં અનેક પ્રકારના તપને સમાવેશ થાય છે. આ ભવમાં આત્માની શક્તિને વિકાસ અને દુઃખનો નાશ કરનાર તપ છે. તેને પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવાની જરૂર છે. એકલા ઉપવાસ કરવા તેનેજ ફક્ત તપ કહેવામાં અન્ય તપને નિષેધ થાય છે માટે જ્ઞાનપૂર્વક તપના અનેક ભેદનું સ્વરૂપ અવધીને સ્વાધિકારે તપ કરવું જોઈએ. આત્માને પરિણામ જ્યાં હીન થાય
For Private And Personal Use Only