SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : [૩૧] મનુષ્ય, સ્વાધિકાગ્ય પ્રત્યેક કમપ્રવૃત્તિને સેવવાને અધિકારી બની શકે છે–એમ માનવામાં અનુભવજ્ઞાનની આવશ્યકતા સિદ્ધ કરે છે. ઉદારત્વ અને સદાશયતવમાં જેમ જેમ આત્મા વૃદ્ધિ પામે છે તેમ તેમ તે પરમાત્માણના મહાવ્યાપક રૂપને પ્રાપ્ત કરતે જાય છે. જેનામાં ઉદારત્વ હોય છે તેનામાં સદાશયત્વ હેય. છે. સદાશયની વૃદ્ધિથી મનુષ્ય પરમેશ્વરના મહાવ્યાપક રૂપમાં લીન થઈને અનન્તતામાં સમાઈ જાય છે. અતએવ સદાશયી મનુષ્ય વસ્તુતઃ પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિ કરવાને એશ્ય કરે છે. સદાશયી મનુષ્ય જે જે કાર્યમાં પ્રવર્તે છે તેમાં તેના સારા આશયથી આન્તરદષ્ટિએ પ્રગતિમાર્ગમાંજ વહે છે. ગમે તે વિશ્વમાં મહાન મનુષ્ય ગણાતે હિય તથાપિ તેના હૃદયમાં યદિ રૂડા આશયે નથી હોતા તે તે આન્તરિક દષ્ટિએ ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકતે નથી. ગમે તે વિશ્વમાં લઘુ મનુષ્ય ગણાતું હોય અને નીચપદ પર નિયુક્ત થએલે હોય તથા અત્યાદિ વર્ણાશ્રમ ધમપ્રમાણે કાર્ય કરનાર હોય પરંતુ અન્તરમાં યદિ તે રૂડા આશયેની ભાવનાઓથી પરિપૂર્ણ ખીલતે હોય તે તે ખરેખર આન્તરિકદ્રષ્ટિએ પ્રભુપદ પ્રાપ્ત કરવામાં મહાન છે એમ અવવું. સદાશય વિના આત્માની આન્તરપ્રગતિ તે થઈ શકતી નથી અને કદાપિ માને કે બાહની પ્રગતિમાં મનુષ્ય સદાશયી સામાન્યતઃ હીન હોય તે પણ આન્તરપ્રગતિથી તે બાહાકમમાં અલિપ્ત રહેવાથી વસ્તુતઃ તેની ઉગ્રતા–મહત્તા છેજ. મનુષ્ય બહાપ્રગતિમાં ઉચ્ચ હોય તે પણ સદાશય વિના વસ્તુતઃ તે ઉચ્ચ નથી, કારણ કે સદાશય વિનાની કાય પ્રવૃત્તિથી ઉચ્ચાને પ્રસાદ ક્ષણમાત્ર જ સ્થાયી રહી શકે છે. For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy