SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કણિકાઓઃ [૧૫] પરિણામ રહે અને વિષમભાવના હેતુઓ પ્રાપ્ત થયા છતાં રસમભાવના બળથી તેને હટાવી શકાય—એ જ નિવૃત્તિનો માર્ગ છે. અનાદિકાલથી મનોવૃત્તિથી કમ્પાયેલા શત્રુઓમાંથી શત્રુબુદ્ધિનો ભાગ કરવો જોઈએ અને અનાદિકાલથી મનોવૃત્તિથી કલ્પાયેલી ઈષ્ટ વસ્તુઓમાંથી રામ પરિણામનો ત્યાગ કરવો જોઈએ. જગતને તટસ્થ રહીને દેખવાની શકિત પ્રાપ્ત કરવી, જગમાં સાક્ષીભત રહીને અધિકાર પરત્વે કાર્યો કરવાની નિપજ્ઞાનશકિત પ્રાપ્ત કરવી એ જ સમભાવરૂપ સામાયિકના આનન્દ દેશમાં ગમન કરવાનો અનુભવ છે. દુનિયામાં પ્રવર્તતા અનેક મતભેદોમાં સમપરિણામની દ્રષ્ટિએ દેખવું અને તેમાં થતા રાગદ્વેષ પરિણામનો ત્યાગ કરીને સત્યદ્રષ્ટિએ સાપેક્ષ સત્યત્વ વિચારવું-એ જ ચમભાવરૂપ સામાયિકમાં સ્થિર થવાનો મુખ્ય ઉપાય છે. સમભાવમાં પરિણામ પામેલા જ્ઞાનથી સામાયિક રૂપ આત્મામાં રમણુતા કરવી અને અનેક અપેક્ષાએ સમભાવના હેતુઓનો દ્રવ્યક્ષેત્રકાલભે વિચાર કરીને વ્યવહાર સામાચિકાલિમાં સાપેક્ષપણે વર્તવું એ વિશાળ જ્ઞાનક્ષેત્રની ઉત્તમતા છે. ત્રસ અને સ્થાવર છવો પર જેને સમભાવ છે તેને સામાયિક છે. જડવતુથી આત્માને ભિન્ન કરીને આત્માના ગુણોમાં લયલીન થઈ જવાથી આત્માનું વાસ્તવિક સામાયિક પ્રગટે છે. કેધ માન માયા લોભ ઈર્ષા કલહ હિંસાવૃત્તિ પરિગ્રહ અને વિષયવાસનાને સમાવવાથી ખરેખરૂં આત્મામાં સામાયિક પ્રગટે છે. નિવૃત્તિમાર્ગમાં રહીને સામાયિકની સિદ્ધિ કરવાની છે અને તેની ઉપસાગરૂપ સોરીએ કસીને પરીક્ષા કરવાની હોય છે. રાગદ્વેષના વિષમભાવમાં ન પડતાં આત્માના સમભાવમાં રહેવું એવું સામાયિક આવશ્યક For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy