________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઃ કમાત્ર એ મોક્ષમાર્ગ છે. દુનિયાના જીવોની સાથે અનાદિકાલથી રાગતેષ કરીને વિષમભાવ ધારણ કર્યો હોય તેનાથી દૂર રહીને સમભાવ વિચારશ્રેણિ પર આરોહણ કરવું એજ સામાયિકની શુદ્ધતા તરફ ગમન કરવાનો વાસ્તવિકમાગ છે ઈન્દ્રિયોનો વિષયે તરફ ઉન્મનીભાવ થાય ત્યારે સંસારમાંથી ઘણા અંશે મુક્ત થવાય છે. હે ચેતના તારા શ્રદ્ધધર્મમાં રમણ કરવું
એ જ તારો વાસ્તવિકધર્મ છે. પોતાના મૂળ ધર્મ તરફ દષ્ટિ રાખી!! સમભાવરૂપ પર્વત પર પરમાત્મારૂપ દેવ વિરાજે છે. સમભાવરૂપ પર્વત પર ચઢવાને અસંખ્ય પગથિયાં છે. હળવે હળવે સમભાવરૂપ પર્વતના પગથીયાં પર જેઓ ચઢતા હોય છે તેમાંથી કેટલાક મનુષ્યો તારાથી ઉપરના પગથિયાં પર હોય તે તરફ ઉત્સાહથી અને ઉપયોગથી ચઢવા પ્રયત્ન કર–અને હારાથી જે આત્માઓ નીચેના પગથિયાં પર હોય, કેઈ જીવો ઘર હોય, કેઈ જીવો દૂરતર હેય, કેઈ જ સમભાવરૂપ પર્વતના પહેલા પગથીય હોય અને કેઈ જીવો સમભાવરૂપ પર્વતની તલેટીએ આવવા પ્રયત્ન કરતા હોય–તે સર્વ જીવો પર સમભાવની દષ્ટિથી દેખ. તારાથી ઉચે ચઢેલા અને તારાથી નીચે રહેલા જીવોનું મૂળ સત્તામાં રહેલું સ્વરૂપ દેખ અને ઉંચ નીચન ઉપાધિભેદ ભૂલીને સમભાવથી સર્વને દેખ!!! સર્વ જીવોની સાથે સમભાવદષ્ટિ રાખીને પોતાનું સમભાવરૂપ સામાયિક પ્રગટ કરવું એ જ વીતરાગદેવે કહેલું પરમાથતવ છે એમ ઉપગ રાખ. સમભાવરૂપ સામાયિકમય તું પોતે છે એમ અન્તર્દષ્ટિથી દેખ અને વિભાવદષ્ટિ પરિહરીને પોતાના શુદ્ધધમમાં મરત બન. બાહ્ય શરીરાદિ જે દેખાય છે તે સર્વ
For Private And Personal Use Only