________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૨]
કમલેગ સંબંધી ઉચિત વ્યાવહારિક કાર્યો કરવા પડે એમાં કઈ જાતનું આશ્ચર્ય નથી. આત્માનું જ્ઞાન અરૂપી છે તેને બહાના આચરણેની ચેષ્ટાઓથી બાલન જાણું શકે અને તેથી આત્મજ્ઞાનીઓની ટીકા કરે તે પણ આત્મજ્ઞાનીઓએ લેકસંજ્ઞામાં મગ્ન થવું નહીં. અનાદિકાલથી એવી જગતની ટીકાઓ થતી આવી છે, થાય છે અને થશે; માટે લોકસંજ્ઞાને તાબે થઈ મુખઓની હાજીહામાં હાજી મેળવવી નહિ. અને કદાપિ મૂર્ખાઓની હાજીમાં હા કરવી પડે તે તે કારણવશાત્ કરવી પણ સત્યજ્ઞાનમાર્ગને ઉદય થાય તેવી રીતે પ્રસંગ પામી વર્તવું તથા અને વર્તાવવા. જગતમાં અનેક જાતની વનસ્પતિ છે. પરંતુ જળમાં કમળને નિલેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થએલી હોય છે. તદ્રત દુનિયાના પંચેન્દ્રિય વિષમાં આત્મજ્ઞાનીને નિલેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થએલી હોય છે. બાકી અજ્ઞાનીઓ તે પંચેન્દ્રિય વિષયરૂપ જલમાં રાગદ્વેષથી લેપાય છે. આત્મજ્ઞાનીએને પરિણામ તેજ તેનું વર્તમાન તથા ભવિષ્યકાળનું ઉત્તમ ચારિત્ર્ય છે. બાઘનું ચારિત્ર્ય તે પરદ્રવ્યના આધારે ઉદ્દભવે છે તેથી તેના ઉપર આત્મ–ચારિત્ર્યને એકાંતે આધાર રાખી શકાય નહીં. બાલજી શુભ એવા ઔદયિક ભાવના વ્યવહારને ધર્મ માને છે. બાલજી–અજ્ઞાનીઓ દશ્ય પદાર્થોમાં ધર્મ માનીને આત્મધર્મથી ઠગાય છે, માટે આત્મજ્ઞાનીઓએ બાલજીની ઔદયિક કરણીમાં ધર્મબુદ્ધિ ધારણ કરવી રહીં. આત્મજ્ઞાનીઓને ઔદયિક ભાવની શારીરિક આહારદિક પ્રવૃત્તિ કરવી પડે છે પરંતુ તેઓ અજ્ઞાનીઓની પેઠે તેમાં આસક્તિભાવાદિવડે લેપાયમાન થતા નથી. આત્મજ્ઞાનીઓ તે ઔદયિકભાવને અને તેની પ્રવૃત્તિને બાહાથી છતાં તેમાં અકર્તુત્વ દેખે છે અને ઔદયિક ભાવની આહારાદિ
For Private And Personal Use Only