________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૭૧] આત્મજ્ઞાનીઓ જે જે કાર્યો કરે છે તેમાં હું હું એવા શબ્દોથી વ્યવહાર કરે છે તે પણ નિશ્ચયથી અંતરંગ પરિણમે ન્યારા હવાથી આસક્તિ વિના ઉશ્ચરાએલા હું તું એવા શબ્દોથી તેઓ બંધાતા નથી. આત્મજ્ઞાન થયું એટલે કંઈ પ્રારબ્ધાદિક કમ એકદમ બળી ભસ્મીભૂત થઈ જતાં નથી. પ્રારબ્ધને શાતા અને અશાતા વગેરેને ભેગવવાં પડે છે. પ્રારબ્ધકમ અર્થાત વિપાકેદયકમ વડે પ્રાપ્ત થએલી પુણ્ય પાપની ઉપાધિ ભેગવવી પડે છે, તે વખતે અન્યજીવેની પેઠે ઔષધાદિ પ્રયત્નને સેવવા પડે છે. ઉચિતવ્યવહાર વિવેક એગ્ય પ્રવૃત્તિને સાચવવી પડે છે; પણ સૂકાયેલા નાળીએરના મેળાની પેઠે અન્તરથી પિતાના આત્માને જ્યારે રાખવું પડે છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ચરિત અવેલેકે. બાહાથી તેઓ લગ્નની ક્રિયામાં પ્રવૃત્ત થયા હતા છતાં અંતરથી આત્મજ્ઞાનના પ્રતાપે તેઓએ આત્મભાવના ભાવીને ચેરીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કૃમપુત્રની ગૃહમાં આત્મજ્ઞાન જાગ્રતિ થઈ હતી. આત્માના શુદ્ધ ધમને શુદ્ધોપગે વિચાર કરતાં ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત્ છ માસ પયત સંસારમાં રહા તે વખતે કેવળજ્ઞાની છતાં દરરોજ ખાવાપીવાની તથા લેકવ્યવહાર પ્રવૃત્તિ સંબંધી ઉચિત ક્રિયાઓ કર્યા કરતા હતા. તેમને કેવળજ્ઞાન છતાં તેમના ઉપરના આચરણે અને શબ્દોથી તેમના સંબંધીઓએ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એમ જાયું નહિં. ખરેખર કેવળજ્ઞાન આત્મામાં પ્રગટ્યું હોય તેને માલ જી શી રીતે જાણી શકે? કેવળજ્ઞાની પુત્રને છ માસ પયત સંસારમાં ઉચિત કાર્યો કરવાં પડ્યાં હતાં તે અધ્યાત્મજ્ઞાનીઓને ગૃહસ્થદશામાં હોય તે ગૃહસ્થ દશાસંબંધી અને સાધુના ધર્મમાં હોય તે તે
For Private And Personal Use Only