________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૧૦:)
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
પૂજનીય છે. સામ્યભાવમાં અવશ્ય મુનિસુખ રહ્યું છે. વર્તમાનમાં સામ્યપણુથી મુક્તિસુખને અમારાવડે અનુભવ કરાય છે. અએવ સમતાભાવની સિદ્ધિ માટે ચિતકર્મ કરવાયોગ્ય છે. ચાહે તે જટાધારી હોય, મુંડી હોય, શિખાધારી હોય, ત્યાગી હોય, યોગી હોય અને કોઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ તે સમતાભાવના ઉપાયોને અવલંબીને કર્મબંધનથી મૂકાય છે. ઉપર્યુક્ત કર્મચાગને જે શ્રદ્ધાભક્તિ અવલંબીને કરે છે તે સર્વજ્ઞની આજ્ઞાનુસારે અવશ્ય મુક્તિસુખને પામે છે. સર્વકર્મવિમુક્તિ માટે શાશ્વતાનંદપ્રાપ્તિ માટે પૂર્ણ શ્રદ્ધાવડે ધર્મોગ્ય કર્મોને હે આત્મન ! સેવ ! એ જ તને કર્તવ્યશિક્ષા છે.
વિવેચન-જીવન્મુક્તમહાયોગીની સામ્યભાવની ચરમમાં ચરમ દશા સંબંધી ઉપર્યુક્ત શ્લોકભાવાર્થ અવબોધ, માટે સામ્યભાવની પૂર્ણદશા પ્રાપ્ત થયા વિના ઈતસ્તતે ભ્રષ્ટ થવાની મૂર્ખતા કરવી નહીં. ગની પરિપકવદશાએ કર્મોમાં અને અકર્મોમાં સમતા આવી છે એવા કર્મચગીની સમતાપ્રતાપે મુક્તિ છે એમાં સંશય નથી. જ્ઞાનયોગની પરિપકવદશા થતાં સર્વકર્તવ્યકર્મોમાં અને અકર્મોમાં શુભાશુભ પરિણામ રહેતું નથી તેથી સમતાભાવ પ્રકટે છે. સમતાયેગી ખરેખર સર્વગીઓમાં મહાન છે. અર્નમુહૂર્તમાં સમતાગી કેવલજ્ઞાન પામી મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સમતાવંત મનુષ્યની અવશ્ય મુક્તિ થાય છે. સમતા સમાન કેઇ એગ નથી. અતએ સમતાવત ગીની કઈ તુલના કરવાને શક્તિમાનું નથી. શરીરમાં વાણી તથા શુભાશુભ અન્ય સર્વપદાર્થો પર જેના હૃદયમાં સમતા પ્રકટી છે તેને કર્તવ્યપ્રવૃત્તિનું કંઈ પ્રજન રહેતું નથી; તથાપિ તે સમતાચગી જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે કંઈ શુભાશુભ ભાવથી કરતો નથી, પરંતુ પ્રારબ્ધ કર્મો કે જે ભોગવ્યાવિના કદાપિ ટતાં નથી તેના યોગે કરે છે. શુભાશુભ કર્મ ભેગવવામાં જે નિરાસકત બન્યું છે એ કર્મયોગી સમતાયેગી બનવાને અધિકારી બની શકે છે. શુભાશુભકમાં સમતાભાવ પ્રકટતાની સાથે બન્નેનું ભકતૃત્વ રહેતું નથી તેમજ તેમાં કરૂંવાધ્યાસ પણ રહેતો નથી. અનેક જન્મના સંસ્કારથી આવી સમતાગીની પદવી પ્રાપ્ત થાય છે. સમતાયોગી શાતામાં અને અશાતા વેદનીયમાં સમભાવી બનીને આત્માના અનન્ત આનંદને પ્રાપ્ત કરે છે અને તેની ઘેનમાં ઘેરાયલે રહીને તે પ્રારબ્ધ કર્મપ્રેરિત બની ક્રિયાઓ કરે છે. ધર્મક્રિયાનું ફલ સામ્યભાવ છે એમ શાસ્ત્રોમાં પ્રતિષ્ઠિત છે. કર્મયોગને સેવતાં સેવતાં જ્ઞાનગની પરિપકવતા થતાં છેવટે સમતાગની પરિપૂર્ણ પ્રાપ્તિ થાય છે. કર્મવેગમાં કુશલ મહાત્મા છેવટે ભેગની પરિપકવદશાએ સામ્યોગને પ્રાપ્ત કરે છે. સામ્યગની પરિપૂર્ણતા થયા પશ્ચાત્ કર્મવેગ સેવવાનું પ્રયોજન રહેતું નથી. રાગદ્વેષાદિ કષાયને સર્વથા ક્ષય થતાં છેવટે સામ્યયોગની પ્રાપ્તિ થાય છે. સામ્ય
ગની પ્રાપ્તિ થતાં તે કર્મયોગના અધિકારથી મુક્ત થઈ સ્વતંત્ર શુદ્ધબુદ્ધ બને છે. ગજસુકુમાલે અને મેતાર્યમુનિએ સમતા સેવીને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. સમરાદિત્યે સમતાગે
For Private And Personal Use Only