SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ દેશની પ્રજાઓની આબાદી ઈચછનારી, રાજા અને પ્રજા એ બેની ઉન્નતિ ઈચછનાર, યુરોપના મહાયુદ્ધમાં સ્વાતંત્ર્યની રક્ષા માટે—ધર્મયુદ્ધમાં હિમાલયની પેઠે અડગ ઊભી રાજ્યકત્ર બ્રિટીશ રહેનાર, યુરોપદિ સવ દેશોની ઉન્નતિમાં ભાગ લેનાર, આર્યાવર્તમાં હેમરૂલની સરકારને ધન્ય- લડતને ન્યાય આપનાર, આર્યાવર્તન મનુષ્યોની ચક્ષુઓમાં વિદ્યારૂપ દિવ્યાંકન વાદ, આજનાર અને તેઓને પિતાના સહચારી બનાવનાર. ન્યાયી રાજ્યને મિત્ર બના વનાર બ્રિટીશ સરકારને રાજ્યશાસનકાલમાં કર્મયોગ ગ્રન્થની રચના થઈ છે, તેથી જ્ઞાધિનાં નિર્માત એ શાંતિમંત્રથી બ્રિટીશ રાજ્ય સરકારની શાંતિ ઈચ્છવામાં આવે છે, તથા બ્રિટીશ સરકારને ધન્યવાદ દેવામાં આવે છે. આર્યાવર્તને ઉદય બ્રિટીશ રાજ્યથી થવાનું છે. દેશ, પ્રજા, સમાજનું કલ્યાણ કરનાર અને દેશ પ્રજાની આબાદી માટે આત્મભોગ આપનાર કર્મવીર, જ્ઞાનવીરે, વગેરેની બ્રિટીશ સરકાર સારી રીતે કદર કરે છે. સર્વ દેશમાન્ય લેઇડ જજ જેવા પ્રધાનેથી વિશ્વમાં સ્વાતંત્ર્ય દેવીની ચિરસ્થાયિતા રહેનાર છે. અમેરિકા રાજ્યના પ્રમુખ જેવાઓ પણ બ્રિટીશ રાજનેતાઓના ન્યાયને અવલંબીને હાલના યુદ્ધમાં બ્રિટીશ પક્ષમાં ઊભા રહ્યા છે, તે બ્રિટીશ રાજયના નેતાઓ કે જે સત્ય રાજ્ય કર્મયોગીઓ છે તેઓને જ તેમાં પ્રતાપ છે–તેથી તેઓને ધન્યવાદ ઘટે છે. બ્રિટીશ રાજ્યયોગે આર્યાવર્તના મનુષ્યોની ઉન્નતિ માટે આંખ ઉઘડી છે અને ભવિષ્યમાં તેથી અનેક મહાકર્મયોગીઓ પ્રકટશે. એમાં કંઈપણ શંકા નથી. કર્મયોગના વાચનથી અને મનુષ્યો ભવિષ્યમાં કર્મયોગીઓ પ્રકટશે અને તેઓ સર્વ દેશી મનુષ્યોના કલ્યાણમાં ભાગ લેશે. શાસ્ત્રી શ્યામસુદ્રાચાર્ય કે જે એક વખત અમારી સાથે રહ્યા હતા તેમને આધ્યાત્મિક જ્ઞાનપૂર્વક કર્મવેગની મહત્તા સમજાવવામાં આવી હતી. અમદીય શિષ્યસ્વરૂપ રસાયનાચાર્ય શાસ્ત્રી શ્યામસુન્દરાચાર્યજી અમારા કર્મયોગના વિચારોના બળથી તેઓ ગૃહસ્થ કર્મયોગીને શોભે તેવી કર્મયોગની પ્રવૃત્તિઓને સેવે છે અને વૈવિદ્યા વગેરેની શોધખેથી આર્યાવર્તની શોભામાં વૃદ્ધિ કરે છે. તેઓ સરકારનવાર જેવા ગ્રન્થ બનાવીને વિશ્વનું કલ્યાણ કરવા સમર્થ થયા છે. વિજાપુરના ગૃહસ્થ જૈન દોશી-નથુભાઈ મંછાચંદ એક આદર્શ કર્મયોગી હતા. સાંસારિક વ્યાપારની સાથે તેઓ ઉપાશ્રય અને જૈન મંદિરો તથા સાધુઓની ભક્તિમાં મશગૂલ રહેતા હતા. એક ક્ષણ માત્ર પણ તેઓ નવરા બેસતા નહોતા. કર્મયોગના વિચારોમાં અને તેની પ્રવૃત્તિઓમાં તેઓ નિલેષપણે વર્તતા હતા. તેમની અમને બાહયાવસ્થામાં સંગતિ થવાથી તેમના જીવન-ચૈતન્યની સારી અસર થઈ હતી; તેથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે. બ્રિટીશ સરકારે જેલા કેળવણીના શિક્ષણથી ભારતવર્ષના મન હવે કમગીઓની ઉપયોગિતા સ્વીકારવા લાગ્યા છે. જેનશાસ્ત્રોના વાચનથી, પઠનથી કર્મવેગનું રહસ્ય ખરી રીતે સમજાયું છે અને તેથી કર્મયોગદિશાની પ્રવૃત્તિ સેવાય છે. કમપેગ લખતાં છદ્મસ્થ દષ્ટિથી જે કંઈ સર્વાની આજ્ઞાથી વિરુદ્ધ લખાયું હોય તેની પ્રભુની પ્રાથના કરી ક્ષમા ઇરછું છું, તેમજ સર્વ જીવોના કલ્યાણપ્રતિ પ્રવૃત્તિ ક્ષમા કરતાં જે કંઈ ભૂલ થઈ હોય તેની ક્ષમા ચાહું છું. સર્વજ્ઞ વિના અન્ય મનુષ્યની ભૂલે થાય છે. વિશેષ જ્ઞાનીઓની દૃષ્ટિમાં મારા જે જે વિચારોમાં ભૂલે દેખાતી હોય તે તેમની ક્ષમા ચાહું છું. ગુણાનુરાગી સત્પષોને વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે તેઓ કર્મયોગમાં જે કંઈ ભૂલો થઈ હોય તે સુધારે. ભ ભૂલે અને તારે ડૂબે, તથા ચાલતાં ખલન થાય એ ન્યાયને અનુસરી જે કંઈ ભૂલ થઈ હોય તેની સંઘની આગળ ક્ષમા ચાહું છું. આ ગ્રન્થની આ પહેલી આવૃતિમાં જે કંઈ ભૂલ હોય તેની સંપુરૂષે યાદી આપશે તો તેને દિતીયાવૃત્તિમાં સુધારો For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy