________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક સંસ્કારને યુગાનુરૂપ સ્વરૂપ આપે.
(૬૮૧ )
સેવવા જોઈએ. ધર્મસંસ્કારોના વાસ્તવિક રહસ્યને જ્ઞાનગીઓ જાણે છે. ધર્મસંકારથી મન વાણી અને કાયા ઉપર અસર થાય છે. જ્ઞાનગીઓ ધર્મસંસ્કારોના વાસ્તવિક રહ
ને જાણે છે તેથી દરેક જમાનામાં તે ઉપર અસત્ય પ્રસ્તરો જે જે લાગી ગયાં છે તેને દૂર કરી સત્ય ઉદ્દેશે પૂર્વક ધાર્મિકસંસ્કારોને પ્રચાર કરી શકે છે. ભવિષ્યના અવતાર પર ધર્મસંસ્કારની અસર થાય છે. ધર્મસંસ્કારોનું આધિપત્ય મૂર્ખાઓના હસ્તમાં જાય છે ત્યારે તેઓમાં આકર્ષણીયતા રહેતી નથી અને ધર્મસંસ્કારસૂત્રોના આચારમાં પ્રાયઃ અસત્યક્રિયા પરંપરાને પ્રવેશ થાય છે. જૈન નિગમમાં સોળ સંસ્કારનું વર્ણન છે અને તેની વિધિ શ્રી ભરત રાજાના સમયથી પ્રવર્યા કરે છે. વેદધર્મીઓમાં ધર્મસંસ્કારોની પ્રવૃત્તિ છે. મુસભાને, બ્રીસ્તિ, બૌદ્ધો અને પારસીઓમાં પણ ધર્મસંસ્કારને કઈ કઈ દષ્ટિએ સ્થાપિત કરેલા દેખવામાં આવે છે. જૈનમમાં બ્રાહ્મણ ક્ષત્રિય–વૈશ્ય શૂદ્ર અને ત્યાગીઓમાં ધર્મસંસ્કારોને અધિકાર પરત્વે આદરવાની આજ્ઞા આપી છે. ધર્મ કામ અર્થ અને મુક્તિ એ ચારની પ્રાપ્તિ કરાવનાર ધર્મસંસ્કારે છે. ગૃહસ્થગુરુઓ પિતાના અધિકાર પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રવર્ગને યોગ્ય એવા ગૃહ્યસંસ્કારોને કરાવે છે અને ત્યાગીગુરુઓ સ્વાધિકારે ગૃહસ્થને અને ત્યાગીઓને યોગ્ય એવા ધર્મસંસ્કારને કરે છે. કરાવે છે; એમ જનનિગમતભેંત ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જનકમમાં સાક્ષર બ્રાહ્મણવર્ગની ન્યૂનતાથી ચાતુર્વર્ય પૈકી વૈશ્યકમના સદ્દભાવથી ધર્મસંસ્કારોના પ્રચારની પ્રગતિ અત્યંત શિથિલ થઈ ગઈ છે અને આવી સ્થિતિને ઉપર્યુક્ત દૃષ્ટિએ પુનરુદ્ધાર કરવામાં નહિ આવે તો જનકોમના અસ્તિત્વની મહાશંકા રહે છે; પરંતુ ભવિષ્યમાં પુનરુદ્ધારક કર્મયોગી યુગમાં પ્રધાન આચાર્યે આ બાબતનું ખાસ લક્ષ્ય દેશે; તે સમયમાં ધાર્મિક સંસ્કારોની સાથે ચાતુર્વર્ય મનુષ્યની જૈનમમાં અસ્તિતા ચિરસ્થાયી રહે એવા ઉપાયોમાં પ્રાણાર્પણ કરશે. ધર્મસંસકાથી ધર્માચારને અને તે દ્વારા મોક્ષની પ્રાપ્તિમાં અત્યંત પુષ્ટિ મળે છે માટે ચાતુર્વર્યની સદા અસ્તિતા કાયમ રહે એવી દષ્ટિએ અધિકારદશાદિ ભેદ ભિન્ન ભિન્ન ધર્મસંસ્કારને પ્રચારવા જોઈએ, જે કેમમાં સ્વાધિકાર ભિન્ન ભિન્ન ઉપયોગી, ગંભીર રહસ્યવાળા આત્માની શક્તિ ખીલવવાવાળા ધર્મસંસ્કારો નથી તે ધાર્મિક કેમની દુનિયામાં અસ્તિતા રહેતી નથી. અએવ ઉપર્યુક્ત બાબતને સજજનેએ અત્યંત અનુભવ કરવો જોઈએ. આત્માની શક્તિ ખીલે અને દેશ ધર્મ રાજ્ય સંધ સમાજ વગેરેમાં ગુણેની પ્રગતિ થાય એવી રીતના ધર્મસંસ્કારને પ્રકટાવવા તરફ જ્ઞાનીઓનું ખાસ લક્ષ્ય હોય છે. દરેક જમાનામાં ધાર્મિક સંસ્કારોને અનુકૂળ રૂપ આપી સર્વ વણેમાં જ્ઞાનીઓ તેને પ્રચાર કરી વિશ્વજીવની ધર્મવડે ઉન્નતિ સાધી શકે છે. શ્રી સદ્દગુરુના બધા પ્રમાણે પ્રવતીને સદા આત્મન્નતિ કરવી જોઈએ. મનુષ્ય બંધુ ! દેશોના
૮
For Private And Personal Use Only