SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૭૬ ). શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. ST થતો નથી–એમ સુધારક દષ્ટિએ અવલકવાની જરૂર છે. પ્રાચીન તેટલું સત્ય અને અર્વાચીન તેટલું અસત્ય તથા અર્વાચીન તેટલું સત્ય અને પ્રાચીન તેટલું અસત્ય એ કદાગ્રહ કરે નહિ. ધર્માચારને ક્ષેત્રકાલાનુસારે સ્વાધિકાર આચરવાના હોય છે તેથી ઉપયોગિતામાં કશે પ્રત્યવાય આવતું નથી તથા તેના ઉપર ચઢેલાં અનુયેગી આવરણને દૂર કરવામાં પણ કશે પ્રત્યવાય નડતો નથી. ધર્માચાર જેટલા છે તેટલા કેઈને કોઈ ઉપયોગી છે. એક મનુષ્ય માટે એકી વખતે સર્વ ધર્માચારો હોતા નથી. તેથી તેઓના ખંડનની પણ આવશ્યક્તા સિદ્ધ ઠરતી નથી. ધર્માચારોથી જેટલે અન્ય મનુષ્યાને લાભ આપી શકાય છે તેટલે ધર્મના વિચારોથી ફત અન્ય મનુ છે તેટલા ધર્મના વિચારોથી ફકત અન્ય મનુષ્યને લાભ આપી શકાતે નથી. અન્યના ઉપર પરોપકાર આદિ ધર્મકરણીથી જેટલી અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધર્માચાર આકાર છે અને તેનાથી અન્યોને સાક્ષાત્ લાભ થાય છે એવું ઘણી બાબતોમાં અનુભવી શકાય છે. ધર્મ વિચારીને અને ધર્માચારોને આમેન્નતિ માટે ઉપયોગ થાય તે માટે અવશ્ય લક્ષ્ય દેવું જોઈએ. જૈન ધર્મશાસ્ત્રોમાં જે સેળ ધર્મસંસ્કારોનું વર્ણન કર્યું છે તે વ્યવહારધર્માદિની દઢતા માટે છે એવું અવધીને સ્વાધિકારે ધર્મસંસ્કારને સેવવા જોઈએ. સહુએ સાધમ્યભકિતકર્મોમાં યત્ન કરવો જોઈએ અને લોકોને સુખ દેનારાં જે જે કર્યો હોય તેઓને સ્વાત્મશક્તિથી સેવવાં જોઈએ. વિશ્વકલ્યાણાર્થે મન વાણી અને કાયાની પ્રવૃત્તિથી કઈ જીવને હાનિ ન થવી જોઈએ એ ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. આત્માના જ્ઞાનદર્શનચારિત્રગુણાએ વિશ્વવર્તિ સર્વ છે સંગ્રહન સમાન છે–સર્વે આત્માઓ છે. સર્વ જીના શ્રેયમાં સ્વશ્રેયઃ સમાયેલું છે. સમ્યગ્દષ્ટિ આદિ ગુણવડે સાધમમનુષ્યોની સેવાભક્તિમાં સર્વ વસ્તુઓને અર્પણ કરવા ચૂકવું ન જોઈએ. જે સર્વ જીવોને ધિક્કારે છે તેને પિતાને જ આત્મા ધિક્કારે છે. જે સમાનધર્મીઓને પૂજે છે તેને પિતાને આત્મા પૂજે છે. જે લોકોને માટે સુખદ કર્મ કરે છે તે જ સ્વાત્માર્થે સુખદ કર્મો કરે છે એમ અનુભવ કરીને લોકોને સત્ય સુખદ કર્મ જે હોય તે આચરવું જોઈએ. જે જે આચારોથી વિશ્વ ને સુખ મળે તે આચારોને તન-મન-ધન-આત્મભેગથી આચરવા જોઇએ. કેચિત ધર્મકર્મોને કરે છે પરંતુ અન્તરમાં અનાસતિથી નિષ્ક્રિય છે અને કેચિત્ મનુષ્યો બાહ્યથી ધર્માચારોને ધર્મક્રિયાઓને કરતા નથી પણ આસક્તિ ગે અન્તરથી સક્રિય છે. રાગદ્વેષાદિ મહનીય કર્મની પ્રકૃતિના સદૂભાવે બાહથી જેઓ નિવૃત્તિપરાયણ જેવા દેખાય છે છતાં તેઓ સકમ છે માટે અન્ત રંગ રાગદ્વેષના અભાવે નિર્લેપ રહીને સ્વપરપ્રગતિકારક ધર્મચારીને સેવતાં ધર્મનું પ્રાકટ્ય કરી શકાય છે અને વિશ્વમાં ધર્મની રક્ષા કરી શકાય છે. શુષ્કજ્ઞાનીઓ બનીને વાગૂવિલાસ કરવા માત્રથી વા પાંડિત્ય ધારણ કરવા માત્રથી આત્માની અને વિશ્વની શકિતને વિકાસ કરી શકાતું નથી. જે સ્વાધિકારે અનાસક્તિથી સદાચારોને, સત્યવૃત્તિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy