________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્માચાર વિનાને ધર્મ નહિ.
( ૬૭૫ ).
જે ધર્મના મનુષ્યોએ અને રાજ્યસત્તાધીશ લોકેએ ન્યાય્યસદાચારને પરિહર્યા તેઓની અધદશા થઈ એમ ઈતિહાસનાં પાનાં ઉકેલતાં અવબંધાય છે. આધ્યાત્મિકજ્ઞાનથી સદાચારેનાં રહસ્ય વિશ્વમાં જીવતાં રહે છે. અએવ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને સદાચારોનું સંરક્ષણ કરવું જોઈએ. લૌકિક કર્મ અને વર્ણ એ બે વડે યુકત મનુષ્ય વિશ્વમાં સ્વાધિકારવડે સધમ્પકર્મોમાં સારી રીતે સંગત હોય છે. ઈશ્વરની ભક્તિથી, ગુરુની ભક્તિથી, ધમની સેવાથી અને સાધુઓની સેવાથી સદાચારની અને સદાચારના વિચારોની પ્રાપ્તિ થાય છે. મોક્ષદશ જ્ઞાનિયાએ આચારવડે અને અધ્યવસાવડે મનુ ધર્મકર્મસાધક બને છે–એને નિશ્ચય કરવો જોઈએ. આચારવડે અને શુભ-શુદ્ધ અધ્યવસાવડે મોક્ષમાર્ગની આરાધના કરી શકાય છે. જ્ઞાનશિયાખ્યાં મોક્ષ: જ્ઞાનક્રિયા વડે મોક્ષ છે. ક્રિયા એ આચારરૂપ છે પરંતુ તેમાં દુર્ગુણેને પ્રવેશ થાય છે તે આચારમાં મલિનતા પ્રકટે છે. આચારવડે શુભ અધ્યવસાયે પ્રકટાવવાથી આત્માની શુદ્ધિ થાય છે. જે જે આચારવડે આત્માના અધ્યવસાયની શુદ્ધિ થાય છે તે તે આચારને સ્વાધિકાર સેવવાની જરૂર છે. આત્માના જ્ઞાનદર્શનચારિત્ર ગુણની શુદ્ધિ માટે આચારોની ઉપયોગિતા છે. સચ્ચિદાનન્દઆત્મસ્વરૂપમાં રમવા માટે તથા અધ્યવસાયની શુદ્ધિ માટે સદાચાર સેવવાની ખાસ જરૂર છે. સદાચારમાં સ્થિર રહેવાથી આત્માના અધ્યવસાયની શુદ્ધિમાં સ્થિર રહેવાય છે. અતએ ધર્માચારે સેવવા માટે વિશેષ લક્ષ્ય દેવાની જરૂર છે. સ્વકર્તવ્યાચારોમાં પ્રવૃત્ત થવાથી સર્વ પ્રકારની સ્વપરની શુભ શક્તિઓને ઉદય થવાને છે તે વિના લાંબાં લાંબાં ભાષણથી તસુ માત્ર પણ આગળ પ્રગતિ થઈ શકે તેમ નથી. ધર્મવ્યવહારયુક્ત જે જે ધર્મકર્મો–ધમચારે છે તે ધર્મનાં અંગો છે માટે અમુક એક બાબતની દૃષ્ટિની ધૂનમાં આવીને તેઓને છેદ ન કરવો જોઈએ. વૃક્ષનાં મૂલો અને તેની શાખાને નાશ કરવાથી જેમ વૃક્ષને નાશ થાય છે તેમ ધગમૂલભૂત ધર્મકર્મોને-ધર્માચારને નાશ કરવાથી ધર્મને નાશ થાય છે. ધર્મના અંગભૂત ધર્માચારોમાં મૂલાંગોને નાશ ન થાય એવી રીતે સુધારો કરવાની જરૂર છે. પરંતુ સર્વથા ધર્મને નાશ થાય એવી રીતે સુધારો કરવાની જરૂર નથી. ધર્મવ્યવહારમૂલ ધર્માચારેને સ્વાધિકાર સેવ !!! પરંતુ ધર્મ તીર્થજીવક ધર્મવ્યવહારાચારનો ત્યાગ ન કર-વ્યવહારનયપ્રતિપાદ્ય ધર્માચારોને નાશ કરવાથી ધર્મતીર્થને નાશ થાય છે અને તેથી વિશ્વમનુષ્યની સુધારણામાં કલિને પ્રવેશ થાય છે. ધર્માચાર વિનાનો કેઈ ધર્મ વિશ્વમાં મનુષ્યના બાહ્ય અને આન્તર જીવનથી જીવી શકતો નથી. ધર્મવ્યવહારને સેવ્યા વિના નિશ્ચયધર્મની યોગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી. જે ધર્માચારોને ઉત્થાપે છે તે ધર્મને ઉછેદ કરે છે. ધર્મના આચારો અને વિચારે વિના વિશ્વજનોમાં નાસ્તિકતા પ્રકટ્યા વિના રહેતી નથી. ધર્મામાં દ્રવ્ય ક્ષેત્ર કાલાનુસારે સુધારક પ્રગતિકારક રક્ષક પરિવર્તન થયા કરે છે પરંતુ તેથી ધર્માને નાશ
For Private And Personal Use Only