________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭૨ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
અપવાદ વખતે જેઓ ઉત્સર્ગથી આચરણ કરે છે તેઓ ધર્મ અને ધર્મના નાશ માટે પ્રવૃત્તિ કરે છે એમ અવબોધવું. આપત્તિકાલે અપવાદ વખતે કેવી રીતે આચારે આચરવા તે તે કાલના જ્ઞાનીઓના હાથમાં છે; પરંતુ ભૂતકાળના જ્ઞાનીઓના હાથમાં નથી. જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીર્યાચાર એ પંચ પ્રકારના આચારોને ઉત્સગ અને અપવાદથી ચાર વર્ણોએ અને ત્યાગીઓએ સેવવા જોઈએ. બાર ભાવના ભાવવી જોઈએ. મનુષ્યોએ સદા મૈત્રી પ્રમોદ મધ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવના ભાવવી જોઈએ. પરસ્પર વ્યાવહારિક તથા ધાર્મિક ભિન્નાચારોમાં મુંઝાઈને યુદ્ધ ન કરવું જોઈએ; કલેશ કંકાસ વૈર ઝેર ન કરવાં જોઈએ. આ વિશ્વમાં મૂળ ઉદ્દેશન સાધ્ય માટે અનેક સાધનેએ ભિન્તાચારપૂર્વક સ્વાધિકાર મનુષ્ય પ્રયત્ન કરે તેમાં ભેદદષ્ટિને આગળ કરી મુંઝાવાનું કંઈ કારણ નથી. સાપેક્ષનયપૂર્વક પરસ્પર ભિન્ન ભિન્ન આચારોમાં સત્ય અવેલેકવું. સાપેક્ષ દષ્ટિથી ભિન્નાચારની સાધ્યાંશમાં એક વાક્યતા કરવી અને મતાચાર સહિષ્ણુતાને સાપેક્ષ દષ્ટિએ ધારીને આચારમાં જે જે સત્યાંશે હોય તે ગ્રહવા-માનવા, ધર્મવૃદ્ધિ માટે ધર્મા શોને ગ્રહણ કરી વર્ણા દક અધિકારપૂર્વક આચારમાં પ્રવૃત્તિ કરવી અને આત્માનતિ આદિ સવ પ્રકારની શુભેનતિ ગણાય છે તેમાં પ્રવૃત્ત થવા આચરણયુક્ત રહેવું.
અવતરણુ–સદાચાર-ધર્માચારસંસ્કાર સેવવા પૂર્વક હાનિકારક રીવાજોના ત્યાગ સંબંધી વિવેચન કરવામાં આવે છે.
દ सेवनीयाः सदाचारा, वाक्वायमानसैः सदा। दुराचाराः सदा हेया, धर्मकामार्थकांक्षिभिः ॥२०५॥ लौकिककर्मवर्णाभ्यां, युक्ता ये ते जना भुवि । स्वाधिकारेण सद्धर्म्य-कर्मसु सुष्ठुसङ्गताः ॥२०६॥ आचाराध्यवसायैर्हि, सुष्टु मोक्षाङ्गसाधकाः । ज्ञातव्यास्तारतम्येन, ज्ञानिभिर्मोक्षदार्शभिः ॥२०७॥ धर्मव्यवहारयुक्तानि, धर्मकाणि यानि तु । छेद्यानि वाऽपि नो तानि, धर्ममूलानिजानीहि ॥२०८॥
For Private And Personal Use Only