________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
( ૬૭૦ )
શ્રી કમગ મંથ-સવિવેચન.
पञ्चाचाराः सदा पाल्याः सेव्या द्वादशभावनाः । मैत्र्यादिभावना भव्या भावनीयाः सदाजनैः ॥ २०३ ॥ भिन्नाचारेषु संमुह्य योद्धव्यं न परस्परम् । सापेक्षनयतो ग्राह्या धमाशा धर्मवृद्धये ॥ २०४ ॥
શબ્દાર્થ સહ વિવેચન–અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પોપકારપ્રવૃત્તિ, વગેરેની પ્રવૃત્તિને સદાચાર કથવામાં આવે છે. દેશકાલાનુસારે વિશ્વમાં બાહ્યાકારથી ભિન્ન ભિન્ન એવા સદાચારો પ્રવર્તે છે. સદાચારોના પ્રચારાર્થે સ્વીયશક્તિથી પ્રયત્ન કરો જોઈએ. ધાર્મિકસદાચારો જે ગુણવડે સહિત હોય છે તે ન્નતિસાધક બને છે; ભ્રાતૃભાવ, શદ્ધપ્રેમ, દયા, ઉદારભાવ, નીતિ, સ્વાર્થ ત્યાગ, સ્વાર્પણ, સમાનભાવ વગેરે ગુણાવિનાના આચારોમાં નીરસતા, જડતા, શુષ્કતા, ભ્રષ્ટતા, મલિનતા પ્રાપ્ત થાય છે. ગુણવિનાના આચારો ખાં જેવા છે. ગુણવિનાનો આચારમાત્રને ઘટાટો૫ સદાકાલ જીવી શો નથી. આત્માવિનાની પૂતલીઓને નાચ જેમ આત્મા સહિત નાટિકાના નાચ સમ રસિક થતો નથી તદ્વત ગુણ વિનાના આચાર રસિક અને ન્નતિકારક રહેતા નથી. જ્યાં ગુણો નથી ત્યાં આચાર નિષ્ફલ છે. આચારમાં ગુણેને રસ રેડાયા વિના ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. ગમે તેવા સુહુ ધર્માચારો હોય છે પણ ગુણવિના તેને આદર કરવા માત્રથી આત્મોન્નતિ થઈ શકતી નથી. શ્રી મહાવીર પ્રભુના સમયમાં બ્રાહ્મણોના આચારોમાં ગુણેને બદલે હિંસા, અસત્ય, દ્વેષ, આસક્તિ, સ્વાર્થ, અનીતિ વગેરે દર્શન પ્રવેશ થયો હતો તેથી મહાવીર પ્રભુએ આચારોમાં ગુણે હેવાને ઉપદેશ આપીને ધર્મોદ્ધાર કર્યો હતે. ગૌતમબુદ્ધે પણ ગુણે સહિત આચારોથી વ્રતોથી ન્નતિકારક ઉપદેશ આપ્યો હતો તેથી અનેક બ્રાહ્મણે વગેરે વણેએ બુદ્ધનું શરણુ ગ્રહી ગુણે ખીલવ્યા હતા. પશ્ચાત્ બૌદ્ધોના ત્યાગી સાધુઓમાં અને સાદવીઓમાં કાલે કરી ગુણ વિના આચારનાં
ખાં રહ્યાં ત્યારે આર્યાવર્તમાં તે ધર્મ પાળનારાઓની અસ્તિતા રહી નહિ. એક ધર્મમાંથી બીજે ધર્મ નીકળે છે તેમાં પણ ગુણો વિના આચાર માત્રના જડપૂજારી મનુષ્ય બને છે અને ધર્મના નામે દુર્ગણોના દાસ બને છે ત્યારે પણ એ જ સ્થિતિ હોય છે. ક્રિયાઓ, આચાર, ધમનુષાને ધર્મપ્રવૃત્તિ ઈત્યાદિમાં ગુણવિના પ્રવૃત્ત થવાથી પિતાનું અને વિશ્વનું શ્રેયઃ સાધી શકાતું નથી; આચારના ફલની સાધ્યષ્ટિ નષ્ટ થવાની સાથે તે તે ધર્મના આચારનું મનુષ્યમાં જીવંત સ્વરૂપ રહેતું નથી. જે આચાર ગુણની વૃદ્ધિ માટે અને ગુણના રક્ષણ માટે છે તેઓનું સ્વરૂપ અવબોધીને તેઓને સ્વાધિકારે આદરવા જોઈએ. જ્ઞાનશ્રદ્ધાબલે ધર્માચાર–સદાચારો આચર્યા છતાં કલ્યાણ કરનારા થાય છે. જ્ઞાન
For Private And Personal Use Only