________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલિયુગમાં કે
ધર્મ પ્રવર્તે છે ?
(૬૬૧ )
અન્ને દેશ, લેક, સમાજ અને સંઘને નાશ કરનાર થાય છે. કૃપમાં જેમ કાદવન્ચરાની મલિનતા થાય છે, અને જેમ ધર્મોમાં કાલનાં પરિવર્તનની સાથે રજોગુણી અને તમે ગુણ આચારવિચારનું બાહુલ્ય પ્રવેશે છે તેમ તે ધર્મ વિશ્વજનેમાં ધર્મના નામે કલેશ યુદ્ધ થાય છે. સજજનમનુષ્ય પણ ધર્મના નામે મતભેદ ધારીને પરસ્પર એકબીજાને અધર્મધારી કલેશ યુદ્ધો કરે છે અને વિશ્વમાં તેથી અશાતિ ફેલાય છે. અતએ તેવો અશુભ ધર્મ ત્યાગ કરવા યોગ્ય છે. વિશ્વમાં અમુક એક ધર્મ કદાપિ થયું નથી અને થવાને નથી. વિશ્વમાં સર્વત્ર મનુષ્યનો એકધર્મ કરવા માટે જે કેલેશયુધ્ધ કરે છે તેઓ ધર્મના સ્વરૂપને સમજતા નથી. સર્વના આત્માઓમાં ધર્મ રહ્યો છે. કઈ પણ જીવને પ્રાણુ લેવાથી ધર્મ થઈ શકતો નથી. કેઈ પણ ધર્મના નામે જે લોકો ધર્મયુદ્ધો કરીને અન્ય ધર્મીઓનાં ગળાં રહેસે છે તે ધર્મ નથી પણ અધર્મ છે. જન્મેલા ન્હાના બાળકો પરસ્પર અભેદ દૃષ્ટિથી સર્વને દેખે છે તત્ જે મનુષ્ય પરસ્પર સર્વમનુષ્યને સ્વાત્મસમાન દેખીને તેઓના શ્રેય માં યથાશકન્યા ભાગ લે છે તેઓ ખરેખર ધર્મરક્ષકે અવબોધવા. સ્વધર્મીઓને મૂકી અન્ય ધર્મ પાળનારાઓ પર વૈર-ઝેર કરાવે અને તે ધર્મ ઈશ્વરે કથ્ય છે એવું જે માનતા હોય છે તેઓ સત્ય ધર્મના પગથીએ આરહ્યા નથી. કેઈ પણ ધર્મના વિચારેથી અન્ય મનુષ્યોનું રક્ત વહેવરાવવા પ્રવૃત્તિ થાય તે તે ધર્મના વિચારોજ નથી એમ અવધવું. સર્વમનુષ્યને ધર્મના એક સરખા વિચારે અને આચારો પસંદ આવતા નથી. સર્વ મનુષ્ય પૈકી દરેક મનુષ્ય સ્વાધિકાર ધર્મના અમુક વિચારોને અને આચારને એવી શકે છે. ધર્મનાં લઘુ લઘુ વર્તુલ કયાં કયાં વિશ્વમાં પ્રવર્તે છે–તેનું સ્વરૂપ અવબોધવું જોઈએ અને આત્માના ધર્મનું અનન્ત વર્તુલ અવબેથવું જોઈએ. સંકુચિતતા આવવાથી પશ્ચાત્ કઈ ધર્મનું વિશ્વમાં અસ્તિત્વ રહેતું નથી. ધર્મમાં માલિ વિચારોનો પ્રવેશ થતાં અસદાચારનું પ્રાબલ્ય વધે છે અને તેથી અને ધર્મનો નાશ થાય છે અને તેને સ્થાને અન્ય ધર્મની પુનઃ ઉત્પત્તિ થાય છે. જે ધર્મને ઉદાર સદ્દવિચારે અને ક્ષેત્રકાલાનુસારે સદાચારોની પ્રગતિકારક સંસ્કારો મળતા નથી તે ધર્મને અને નાશ થાય છે. એક ધર્મમાંથી અન્ય ધર્મ ઉદ્ભવે છે તેમાં અલ્પાધિકાશે ઉપર્યુક્ત માલિ હેતુભૂત કલ્પાય છે. સર્વની શુભેન્નતિ કરનાર વિચારે અને સદાચારે ગમે તે દેશમાં ધર્મરૂપ છે. શુદ્ધ બ્રહ્મ અર્થાત્ આત્માની શુદ્ધતા એજ જૈનધર્મનું કર્તવ્ય છે. રજોગુણી ધર્મ અને તમગુણ ધર્મથી યુરોપના મહારાજ્યોની અશાન્તિના જવાલામુખી પર્વતે ફાટયા કરે છે અને તેથી રાજ્યમાં, સમાજમાં, દેશમાં ચિરંશાન્તિ પ્રર્વતતી નથી. કલિયુગમાં રજોગુણ અને તમે ગુણ ધર્મનું પ્રાધાન્ય પ્રવર્તે છે જેથી કલિયુગમાં રજોગુણ તોગુણી મનુષ્યના તાબા નીચે સવગુણ મનુષ્ય દબાયેલા રહે છે તથાપિ રજોગુણ અને તમે ગુણ મનુષ્યોના હસ્તે સત્વગુણી
For Private And Personal Use Only