SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૫૮) શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન. ST પ્રવર્તતી હેત તો જૈનકેમની પડતી થાત નહીં. નિવૃત્તિમાર્ગના વિચારે અને આચારેને મુખ્યતા આપીને જેઓ ગુણ કર્માનુસારે ચારે વર્ષોની પ્રગતિમાં માંદ્ય સેવે છે. તેઓ અને અન્ય કોમેની પરતંત્રતા સ્વીકારી પરતંત્ર જીવન ગાળનારા બને છે. વૈદિક - વેદાન્તિક લેકોએ ગુણકર્મોના અનુસારે ચારે વણેની સ્વધર્મમાં હયાતી રાખી તેથી તેઓ વિશાલ સંખ્યામાં રાજ્યસામ્રાજ્યની સાથે ઉન્નત થવા પ્રયત્ન કરી રહ્યા છે. દેશધર્માર્થ સેવક કર્મચગીઓએ વોંન્નતિ માટે સાત્વિકી જનાઓ કરવી જોઈએ કે જેથી દેશેન્નતિ થાય. આધ્યાત્મિક શક્તિ વિના દરેક વર્ણનો નાશ થાય છે. આધ્યાત્મિકબળથી દરેક વર્ણ વિશ્વમાં સ્વાસ્તિત્વનું સંરક્ષણ કરી શકે છે. અહંતા વિષયતૃષ્ણા સંકુચિત વિચા રાચાર અને પરસ્પરોપગ્રહવિના વિશ્વમાં સર્વ વર્ગોને નાશ થાય છે. લેભાગુ સુધારકેથી વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ થઈ શકતી નથી અને ઉલટી હાનિ થાય છે. અલ્પજ્ઞાન અને અતિહાનિનો વિચાર કરીને વર્ણ સંબંધી અનેક પ્રકારનું જ્ઞાન કરીને વર્ણવ્યવસ્થા સંસ્કૃતિ કરવી જોઈએ. આર્યસિદ્ધાંતનું પરિપૂર્ણ રહસ્ય અવબોધ્યાવિના વર્ણવિભાગવ્યવસ્થા સંસ્કૃતિ કરી શકાતી નથી. અધ્યાત્મશાસ્ત્રો દ્વારા અધ્યાત્મજ્ઞાનનો સર્વવર્ણમાં પ્રચાર કરે જોઈએ કે જેથી આધ્યાત્મિક ઐકયબળથી વણેતિદ્વારા ધર્મોન્નતિ પણ સદા સ્થાયી રહી શકે. આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કર્યાવિના વર્ણવ્યવસ્થાને નાશ થાય છે. ગુણકર્માનુસારે પરંપરાએ પ્રવહતી વર્ણવ્યવસ્થાથી વિધજનમાં પ્રગતિના હેતુઓ એક સરખા સ્થાયી રહે છે. અધ્યાત્મજ્ઞાનથી માજશેખની પ્રવૃત્તિને નાશ થાય છે અને તેથી રાજ્ય, સમાજ, સંઘ, કેમ, ધર્મ વગેરેમાં માલિન્ય પ્રવેશતું નથી તથા કમાદિને નાશ થાય એ સાધ્યશૂન્ય વિચારોનો તથા પ્રવૃત્તિને સડો પ્રવેશતે નથી. આત્મજ્ઞાન થયાવિના વર્ણવ્યવસ્થામાં રજોગુણ અને તમોગુણનો પ્રવેશ થવાનો અને તેથી સત્વવિચારને તથા સાત્વિક આચા ને શનૈઃ શનૈઃ નાશ થવાને એમ અવશ્ય માનવું જોઈએ. દરેક વર્ણ પિતાને મૂળ ઉદ્દેશ ભૂલી જાય છે અને અજ્ઞાન તરફ પ્રવૃત્તિ કરે છે ત્યારે તે સ્વહસ્તે સ્વાત્માને નાશ કરે છે. વર્ણવ્યવસ્થામાં રજોગુણ અને તમે ગુણથી અત્યંત ગરબડેગેટે થાય છે ત્યારે વર્ણન વ્યવસ્થાસુધારકે પ્રકટી નીકળે છે. અમુક વણે મહાન અને અમુક નીચ એવી કુદ્રભાવનાનો ઉદ્દભવ થતાં વર્ણવ્યવસ્થાનો નાશ થવા માંડે છે. સર્વવર્ણની ઉપયોગિતા છે પરંતુ તેમાં અનુપયોગી તો પ્રવેશતાં વર્ણવિભાગનું બેખું અવશેષ રહે છે. આચારોમાં મૂળ ઉદ્દેશની સાથે વિચારોને પ્રકટાવીને વર્ણવ્યવસ્થાની સુધારણાને દેશકાલાનુસારે કર્મયેગીઓ કરે છે અને તેથી તેઓ ધર્મની વ્યાપકતા કરવામાં સર્વમનુષ્યના ભિન્ન ભિન્ન અધિકારે ધર્મપ્રવૃત્તિનો સમ્યગ ઉપદેશ આપી કર્તવ્યકાર્યની સિદ્ધિ કરે છે. દેશધમર્થસેવકકર્મયોગીઓએ દેશોન્નતિ, વિશ્વોન્નતિ, ધર્મોન્નતિ આદિ શુભેન્નતિ માટે સાત્વિક વિચારોપૂર્વક પ્રવૃત્તિની જનાઓ કરવી જોઈએ. સર્વ પ્રકારની શુભન્નતિને આધાર વસ્તુતઃ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy