SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' જેને કોમની પતી શાથી થઈ? ( ૬૫૭ ) છે તે અન્ય વણે વિનશ્વર થઈ જાય છે. આર્યાવર્તમાં ક્ષત્રિયવર્ણના મનુષ્યમાંથી ગુણકર્મોને કંઈક અભાવ થતાં હાલ સ્વાતંત્ર્યરક્ષક જીવનની દશામાં અસ્તવ્યસ્ત દશા થઈ છે અને સિદ્ધાંતોમાં વિશાલ વિચારવાળા બ્રાહ્મણોના અભાવથી અનેક મતમતાંતરે અને કદાગ્રહની ઉત્પત્તિ થઈ છે. હરકલાદિવિશિષ્ટવૈશ્યના ગુણકર્મોની મંદતાથી આર્યાવર્તમાં વ્યાપારપ્રવૃત્તિમાં મંદતા અવલોકાય છે અને જ્ઞાનસેવાદિવિશિષ્ટ શુકજનોના માંઘથી અન્ય ત્રણ વર્ણની સેવાના અભાવે હાલ જે અવનતિ અવલેકાય છે તે સર્વ સુરોને વિદિત છે. સર્વવર્ણોની ઉન્નતિની સિદ્ધિ માટે વર્ણ ધર્મની સંસ્કૃતિ છે. પરસ્પર એક બીજાની ઉન્નતિમાં સર્વ વણે ભાગ લે છે તે તેઓ પારસ્પરિક પ્રગતિ કરી શકે છે. ચારે વર્ગોમાં સુધારો કરવાથી સર્વવર્સોન્નતિ થાય છે, અએવ પ્રાચીન વિચારમાંથી સત્ય ગ્રહીને વર્તમાનમાં સુધારો કરવો જોઈએ. આર્યાવર્ત વગેરે સર્વદેશોમાં ગુણકર્માનુસારે ચાર વર્ણોની ઉન્નતિ કરવી જોઈએ. સમાજમાં, સંઘમાં, દેશમાં, રાજ્યમાં પ્રગત્યર્થે ચારે વણેની ઉન્નતિ કરવાની જરૂર છે. આર્યાવર્તમાં બ્રાહ્મણે ક્ષત્રિય અને વૈશ્યએ શૂદ્રવર્ગને અત્યંત તિરસ્કાર કર્યો તેથી તેઓ સ્વયં અધોગતિમાર્ગપ્રતિ ઘસડાયા. વિશ્વમાં સર્વવર્ણોના મનુષ્યોને એક સરખી દષ્ટિથી દેખવા જોઈએ. સર્વવર્ણોમાં જ્યારે સ્વાર્થ, સંકુચિત દ્રષ્ટિ, પક્ષપાત અને અહંતાને પ્રવેશ થાય છે ત્યારે તેઓમાં અવનતિને પ્રવેશ થાય છે. સર્વવર્ષોમાં એકસરખી-ધાર્મિક વ્યાવહારિક પ્રવૃત્તિ સદા એક સરખી હઈ શકતી નથી. સર્વવર્ણોમાં ગુણકર્મોના ઉદ્દેશોનું વિસ્મરણ અને પ્રમાદ થવાથી આચારમાં શુષ્કતા આવી જાય છે. ગુણકર્મોને હેતુપૂર્વક સર્વવની ઉત્પત્તિ થએલી છે; પશ્ચાત્ તેમાં નિરસતા ઉદ્ભવતાં સુધારાના સંસ્કાર કરવાની પ્રસંગે પાત્ત વર્તમાનકાલમાં આવશ્યકતા સ્વીકારવી પડે છે. જૂના રીતરિવાજોમાંથી મૂળ ઉદ્દેશે ઉઠી જાય છે અને આચારે માત્ર ખોખાં જેવા રહે છે ત્યારે કર્મયોગીઓ તેઓમાં સુધારે કરીને મૂળ ઉદ્દેશેના પ્રકાશપૂર્વક વર્તમાનકાલાનુસાર નો રસ રેડે છે; તેથી સમાજમાં, સંઘમાં, દેશમાં, કેમમાં, રાજ્યમાં નવીન બળ પ્રગટે છે; એમ આચારામાં પરિવર્તને થયા કરે છે. પણ મૂળ ઉદ્દેશને નાશ ન થાય તે ઉપર ધ્યાન આપીને કર્મયોગી મહાત્માઓ પ્રવૃત્તિ કરે છે. સર્વવને ભિન્ન ભિન્ન પ્રકૃતિ અને ગુણકર્માનુસારે વર્તમાનમાં સ્વસ્વાધિકાર આચારે બંધબેસતા અનુકૂળ થઈ પડે અને તેથી સર્વવર્ણની ઉન્નતિપૂર્વક ધર્મની વૃદ્ધિ થાય-એ ઉદ્દેશને લક્ષ્યમાં રાખીને કર્મયોગીઓ સુધારાવધારા કરે છે; પ્રાચીન સત્ય વિચારને અને આચાર-વિધિનો-સંસ્કારને નાશ ન થાય અને અસત્યનો નાશ થાય તથા વર્તમાનમાં પ્રગતિમાર્ગમાં સર્વપરિસ્થિતિમાં અનુકૂલતા જેથી રહે એવા સુધારાની આવશ્યકતાને કર્મયોગીઓ સ્વીકારે છે. જૈનધર્મમાં ચારે વર્ણના અનુકૂળ બંધબેસતા ધર્માચારો ધર્મવિધિ દરેક જમાનાને અનુસારે સંસ્કારિત થઈ તે જીવંતરૂપથી ૮૩. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy