________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(880)
શ્રી ક્રમ યાગ ગ્રંથ-વિવેચન.
પ્રવૃત્ત થવુ જોઇએ. આત્મજ્ઞાનપૂર્વક ધકર્માંનું રહસ્ય શું છે ? તેને લેકને પરિપૂર્ણ અનુભવ આપવા જોઇએ. લેાકેાને અન્ન રાખીને ધર્મકર્મના જે જે સુધારા કરવામાં આવે છે તેમાં પરિણામે અલ્પલાભ અને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક જ્ઞાનના સૂર્ય સદા પ્રકાશિત રહે છે તેા વિશ્વ મનુષ્યે સર્વે સ્વયમેવ સ્વયેગ્ય ધર્મક સુધારાને કરી શકે છે અને વમાનમાં ધર્મનું રક્ષણ કરી શકે છે. જ્યારે અધ્યાત્મજ્ઞાનના સૂર્ય અસ્ત થાય છે ત્યારે ધર્મીમનુષ્યેામાં આચારભેદોથી સ`પ્રદાયભેદો થાય છે અને અજ્ઞાની લેાકેાનુ જોર ફાવી જાતાં સત્ય રહસ્યથી લાકે અજ્ઞાત રહેતાં જડક્રિયાવાદીઓના પ્રાદુર્ભાવ થાય છે. હવે આધ્યાત્મિકજ્ઞાનના સૂર્યના કિરાને કઇક લેાકેા પર પ્રકાશ પડવા લાગ્યા છે, તેથી લેાકેા સત્યની શોધ કરવા લાગ્યા છે. તેથી હાલના સંક્રાન્તિકાલ ગણાય છે. હાલ ધર્મના શાસ્ત્રોનું મથન થાય છે અને સત્ય શેાધવા માટે વિશ્વમાં સત્ર મહાપ્રવૃત્તિ થએલી છે તેથી એ ચળવળના પરિણામે લેાકેામાં અનેક ધાર્મિક પરિવર્તન થાય છે. યુગપ્રધાન મહાત્માએ ધકર્માના સુધારો કરીને અધ્યાત્મજ્ઞાનબળે ધર્મરક્ષા કરી શકે છે. ધર્મના અસ્તિત્વથી સર્વ શુભકર્માનું અસ્તિત્વ રહે છે માટે કદાપિ ધર્મના નાશ ન થવા દેવા જોઇએ. ધર્મની અનેક પ્રકારની વ્યાખ્યાઓ થઇ શકે છે. તે પૂર્વના શ્લેાકેાના વિવેચનમાં જણાવ્યું છે. ધર્મની રક્ષા કરવા માટે સર્વ ધર્મી મનુષ્યએ સ્વાર્પણ કરીને ધર્મરક્ષાકારક પ્રવૃત્તિયામાં પ્રવર્તવું જોઇએ. અજ્ઞાનીમનુષ્યા ધર્મકર્મની રક્ષાના નામે અધ્યાત્મજ્ઞાનના અભાવે માહ્ય પ્રવૃત્તિયેામાં મતભેદ પાડીને પરસ્પર કદાગ્રહ કરી-ભેદ કરી ધ કર્માંના નાશ કરે છે, માટે આત્મજ્ઞાનીઆવિના સામાન્યક્રિયારુચિને ધારણ કરી રૂઢિથી પ્રવતૅનારા ધર્મકર્માંમાં ગાંડરીઆપ્રવાહ પેઠે ચાલનારા મનુષ્ય ધર્મની રક્ષાના બદલે તેનો નાશ કરે છે એવું જાણી તેનાથી ચેતતા રહેવું; આત્મજ્ઞાન વિના ઉત્તારભાવનાથી, વ્યાપકભાવનાથી, અદ્વૈત ભાવનાથી અને અનેકાન્તનયશૈલીથી ધર્મ કર્મની સુધારણા થઈ શકતી નથી, જેને સુધારવાના છે તેઓને સર્વથી પ્રથમ અધ્યાત્મજ્ઞાન આપવું જોઇએ કે જેથી તેને ધર્મકર્મ ના સુધારાઓ સારી રીતે સમજાવી શકાય અને વર્તમાનકાલાનુસારે ધર્મ કર્માં સુધારીને સમાજ પ્રગતિકારક, સંધપ્રગતિકારક એવા ધર્મની રક્ષા કરી શકાય. ધર્મરક્ષકજ્ઞાનીમહાત્માઓએ સર્વ જ્ઞાનાવરણીયાક્રિકમાંના નાશ થાય અને આત્માને અનંત આનન્દ પ્રકટ થાય એવી દૃષ્ટિએ ધર્મવૃદ્ધિકર કર્યાં કરવાં જોઇએ. સર્વ વ્યાવહારિક તથા ધાર્મિકકત્ત્તવ્ય કર્માના મૂળ ઉદ્દેશ શાશ્વતાનન્દ પ્રાપ્તિરૂપ છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના નાશરૂપ છે, માટે ધર્મ રક્ષાકારક મહાત્માઓએ એ ઉદ્દેશને ક્ષણે ક્ષણે યાદ કરીને ધમૃદ્ધિકર કાર્યાં કરવાં જોઈએ. સર્વજીવા જ્ઞાનાવરણીયાદિકર્માના નાશ કરે અને આત્માના અનન્ત આન ંદના અનુભવ કરે એ દૃષ્ટિએ તેઓ ધમકસમાં પ્રવર્તે એવા આધ આપવા જોઇએ અને એજ દૃષ્ટિએ ધર્માંકની રક્ષા કરવી જોઈએ, ધ કર્મામાં દેશકાલ પરત્વે અનાદિકાલથી અનેક પરિવના
For Private And Personal Use Only