________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩૮ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
આધ્યાત્મિક ધર્મની વૃત્તિને ગ્રહણ કરશે ત્યારે ત્યાં સત્ય સાધુઓને પ્રાદુર્ભાવ થશે. જૈન આધ્યાત્મિક આગમન હાલ પાશ્ચાત્ય દેશોમાં પ્રચાર થાય તો ત્યાં સાત્વિકધર્મપ્રવૃત્તિ પ્રગતિયોગે શાન્તિસામ્રાજ્યની સ્થાપના થાય. આવર્તમાં સાધુઓની ત્યાંના કરતાં વિશેષ પૂજ્યતા છે તેથી આર્યજને નિવૃત્તિ સુખ જે ભગવે છે તેવું સુખ ત્યાંની મોજશેખની પ્રવૃત્તિથી તેઓને સ્વપ્નમાં પણ મળતું નથી. અત એવ સાધુસમુદાયની સુભક્તિદાનથી સેવા કરવી જોઈએ.
અવતરણુ-ધર્મરક્ષક અને ધર્મકર્મસુધારક કર્મચારીઓએ સામાજિક પ્રબંધપૂર્વક ધર્મવૃદ્ધિકર કાર્યો કરવાં જોઈએ તે નિર્દેશ છે.
श्लोको
सामाजिकप्रबन्धेन धर्मकर्मसुधारकैः । धर्मरक्षककर्माणि कर्तव्यानि प्रयत्नतः ॥१६०॥ सर्वकर्मविनाशाय शाश्वतानन्दहेतवे ।
धर्मवृद्धिकरं कर्म कर्तव्यं धर्मरक्षकम् ॥१६१॥ શબ્દાર્થ –ધર્મકર્મસુધારક જ્ઞાનયોગી કર્મચાગીઓએ ધર્મરક્ષક કર્મોને સામાજિક પ્રબળવડે કરવાં જોઈએ. ધર્મરક્ષકકામગીઓએ જ્ઞાનાવરણીયાદિ સર્વકર્મવિનાશાર્થે અને શાશ્વતાનન્દ માટે ધર્મવૃદ્ધિકર કર્મ કરવું જોઈએ.
વિવેચનઃ ધર્મકર્મસુધારકોએ પ્રયત્નથી ધર્મ રક્ષક કાર્યો કરવા જોઈએ. સામાજિક પ્રબની વ્યવસ્થાપૂર્વક ધર્મરક્ષક કર્મો કરી શકાય છે. ધર્મકર્મોનું પરિતઃ સંપૂર્ણ જ્ઞાન થવાથી અને ધર્મકર્મોની ઉત્પત્તિ અને તેના ચગ્ય દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે કયા અધિકારી જીવ હોય છે, તેનું સંપૂર્ણ જ્ઞાન થવાથી ધર્મરક્ષક કર્મોમાં સુધારાવધારો કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. પ્રત્યક્ષેત્રકાલભાવ પ્રમાણે સ્વ તથા પરને આવશ્યક અનાવશ્યક કયાં ક્યાં ધર્મકર્મો છે તેનું પરિપૂર્ણ જ્ઞાન થવાથી ધર્મકર્મસુધારક બની શકાય છે. આવશ્યક ઉપયોગી અને અનુપયોગી ધર્મકર્મોનું વર્તમાન દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી પરિપૂર્ણ જ્ઞાન થવું જોઈએ. સામાન્ય જિક પ્રબન્ધપૂર્વક ઉત્તમ વ્યવસ્થા કરવાથી ધર્મકર્મોમાં સુધારો કરી શકાય છે. ઉદારષ્ટિથી સર્વ ધર્મોને અનન્ત જ્ઞાનવર્સેલમાં સમાવેશ થાય તેવી દષ્ટિએ ધર્મકર્મોને સુધારે કરવો જોઈએ. સંકુચિતદષ્ટિથી ધર્મકર્મોની પ્રવૃત્તિમાં સંકુચિતતા આવે છે અને તેથી એકાન્તધર્મક્રિયામાં અમુક આગ્રહે બંધાવાનું થાય છે. વર્તમાનકાલમાં સર્વ મનુષ્યોને અનુકૂળ
For Private And Personal Use Only