SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - શ્રી કર્મળ ગ્રંથ-વિવેચન. કરી હતી. આ ઉપરથી સ્પષ્ટ અવબોધાશે કે ઉપર્યુક્ત મહાત્માઓ વગેરે અનેક મહાત્માઓએ આત્માનું ધ્યાન ધર્યું. વર્તમાનમાં અનેક મહાત્માઓ આત્માનું ધ્યાન ધરે છે અને ભવિષ્યમાં અનેક મહાત્માઓ આત્માનું દયાનધરીને અનેક ધર્મોને પ્રકટાવશે. આ ઉપરથી અવબોધ મળે છે કે આત્માના અનંતજ્ઞાનાદિ ધર્મને પાર નથી. તેનું ધ્યાન જેટલા અંશે થાય છે તેટલા અંશે તેના શુદ્ધધર્મને અનુભવ આવે છે. સાગરમાં અનંતગુણ જલ છે તેમાં લેટે લેટા જેટલું જલ ભરી શકશે અને ગાગર, ગાગર જેટલું જલ ભરી શકશે પરંતુ જલને પાર આવવાને નથી. તદ્દત આત્માને શુદ્ધધર્મ અનન્ત છે તેથી તેને પાર આવી શકતો નથી. જ્ઞાની આત્મા અનન્તજ્ઞાનાદિ શુદ્ધધર્મો તરફ વળે છે અને ત્યાં જેટલું તે વિશ્રામ પામે છે એટલે આનંદ પામીને તે ખુશી થાય છે. જ્ઞાનીમહાત્માએ આત્માના અનંત શુદ્ધધર્મોનું ધ્યાન ધરીને તમય બની પરમાત્માઓ બને છે. આ પ્રમાણે આત્માની સ્થિતિ છે માટે આત્માના શદ્ધધર્મની વૃદ્ધિ થાય અને સત્ય શદ્ધધર્મના વિચારોને સર્વત્ર વિશ્વમાં પ્રચાર થાય તે માટે શ્રી મહાવીર પ્રભુની પેઠે ઉપદેશ દેવામાં કર્મયેગીઓએ પરિપૂર્ણ આત્મભેગ આપ જોઈએ. ઉપર્યુક્ત આત્માના શુદ્ધધર્મની અને સત્ય વ્યવહાર ધર્મની ઉત્પત્તિનું મૂળ સન્ત–સાધુઓ છે. સાધુઓથી આત્માના શુદ્ધધર્મને પ્રચાર થાય છે. આ વિશ્વશાળાના સત્ય શિક્ષક સાધુઓ છે. પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે અને આત્મા તેજ પરમાત્મસ્વરૂપ છે એ નિશ્ચય કરાવવા માટે સાધુઓની સેવા કરવાની જરૂર છે. સર્વધનું મળ સાધુઓ છે. કામાદિવાસનાઓને નાશ કરીને અને આત્માની શુદ્ધતાને અનુભવ કરીને જે સાધુઓ થયા છે તેઓ વિશ્વમાં કલ્પવૃક્ષ સમાન છે. તેઓની સેવાભક્તિ કરવાથી શુદ્ધધર્મની અવશ્યમેવ પ્રાપ્તિ થાય છે. સર્વજીમાં શુદ્ધધર્મને આવિર્ભાવરૂપ ઉત્પત્તિ કરનારા સાધુઓ છે માટે સાધુઓની રક્ષા કરવામાં અને સાથીઓની રક્ષા કરવા માટે લેગીન્દ્રમહાત્માઓરૂપ ઈશ્વરીઅવતારોની ઉત્પત્તિ થાય છે. સર્વ દેશોમાં, સમગ્ર વિશ્વમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્રાદિ શુદ્ધધર્મોની ઉત્પત્તિ કરાવનાર સાધુઓની અને સાધ્વીઓની સેવા ભક્તિ થવી જોઈએ. નિવૃત્તિમય પ્રવૃત્તિધર્મમાં સાધુઓ તલ્લીન રહે છે અને વિશ્વને કુટુંબ સમાન ગણને અનેક આધ્યાત્મિક તને સર્વત્ર પ્રચાર કરે છે;–આધ્યાત્મિક શક્તિઓને પ્રકાશ કરનારા સાધુઓ છે. પરમાત્માઓના ઠેઠ પાસેના સાધુઓ છે. આ વિશ્વમાં મોક્ષસુખની ઝાંખીને અનુભવ કરનારા મસ્તસાધુઓ છે. અનેક પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપનારા સાધુઓ છે. વેદ, આગમ, બાઈબલ, પુરાણ આદિ ધર્મશાસ્ત્રની જીવતી મૂર્તિઓ સાધુઓ છે. જેઓના હદમાંથી ભૂતકાળમાં અનેક શાસ્ત્રો નીકળ્યાં, વર્તમાન નમાં નીકળે છે અને ભવિષ્યમાં નીકળશે એવા મહાત્મા સાધુઓ વિના દુનિયામાં અન્ય જે રત્ન ગણાય છે તે અસત્ય છે. સત્યસ્વાતંત્ર્ય ભેતાઓ સાધુઓ છે. મસ્તસાધુઓ કેઈની પરવા વિના શુદ્ધપ્રેમથી વિશ્વજનોને સત્ય વિચારો જણાવે છે. તેઓ સમાધિધ્યાનમાં For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy